
દરરોજ નાસ્તામાં બદામ, અખરોટ, તલની બનાવેલી વાનગી ખાવા જોઈએ તેમાં રહેલી ચરબી શરીરના તાપમાનને જાળવવામાં મદદ કરે છે. તેને તમે દૂધમાં ભેળવીને પણ પીઈ શકો છો.

શિયાળામાં દરરોજ 1 ચમચી ઘી ખાવાથી શરીર ગરમ રહે છે અને સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે, કારણ કે ઘી સાંધાને લુબ્રિકેટ કરે છે.

શિયાળામાં નારંગી, સફરજન અને દાડમ જેવા ફળો ખાઓ. આ વિટામિન C થી ભરપૂર હોવાથી શરદી-ઉધરસ સામે રક્ષણ આપે છે. શરીરને તરત ગરમી અને પોષણ આપવા મદદરુપ સાબિત થાય છે.