
રાઉટર એક નાના કમ્પ્યુટરની જેમ કામ કરે છે. તેમાં સતત ડેટા પ્રોસેસ થાય છે. રાઉટર જો લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો બિનજરૂરી ડેટા તેના મેમરીમાં (RAM) એકઠા થઈ શકે છે. રીસ્ટાર્ટ કરવાથી આ મેમરી સાફ થાય છે. રાઉટર રીસ્ટાર્ટ કર્યા પછી ઇન્ટરનેટની સ્પીડ અને નેટવર્કની સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.

મોટાભાગના કિસ્સાઓમાં તમારા રાઉટરને દરરોજ રીસ્ટાર્ટ કરવું જરૂરી નથી. આજકાલના આધુનિક રાઉટર એવા રીતે બનાવવામાં આવે છે કે તેઓ અઠવાડિયા કે મહિનાઓ સુધી સતત કામ કરી શકે છે.

જો તમારું ઇન્ટરનેટ સામાન્ય રીતે કામ કરી રહ્યું હોય, તો તમારા રાઉટરને દરરોજ બંધ કરીને ચાલુ કરવાથી બહુ ફાયદો થશે નહીં. જોકે કેટલાક જૂના રાઉટર અથવા ઓછી RAM વાળા મોડેલોમાં તેને સમયાંતરે રીસ્ટાર્ટ કરવાથી કામગીરીમાં સુધારો થઈ શકે છે.

ટેકનિકલ નિષ્ણાતો સામાન્ય રીતે અઠવાડિયામાં એકવાર અથવા દર 15 દિવસે તમારા રાઉટરને રીસ્ટાર્ટ કરવાની ભલામણ કરે છે. આથી ડિવાઇસની મેમરી રિફ્રેશ થાય છે અને પરફોર્મન્સ સારી રહે છે.

જો તમારું રાઉટરનું નેટવર્ક ધીમું ચાલતું હોય અથવા તો ડિવાઇસ કનેક્ટ ન થતા હોય અને નેટવર્ક ડ્રોપ થતું હોય તો રીસ્ટાર્ટ કરવું યોગ્ય રહેશે.

આજકાલ ઘણા રાઉટરમાં શેડ્યુલ્ડ રીબૂટ (Scheduled Reboot) અથવા ઓટો રીસ્ટાર્ટ (Auto Restart) ફીચર આવે છે. તેની મદદથી રાઉટર નક્કી કરેલા સમય પર પોતે જ રીસ્ટાર્ટ થઈ જાય છે. જેથી યુઝરને અલગથી કંઈ કરવાની જરૂર રહેતી નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.