
કોઈપણ વ્યક્તિ માટે લકી નંબર : ન્યુમેરોલોજીસ્ટ રાહુલ સિંહ કહે છે કે કોઈપણ નંબર કોઈપણ માટે લકી હોઈ શકે છે. એટલે કે એવું જરુરી નથી કે માત્ર 8 નંબર જ કે અન્ય અમુક નંબર જ બધા માટે લકી હોય તે જરૂરી હોય. તમામ સંખ્યાઓનું પોતાનું મહત્વ હોય છે. એવું બની શકે છે કે કેટલાક માટે 5 નંબર ભાગ્યશાળી હોય, તો અન્ય માટે 1, 2 કે 9 સુધીનો કોઈ પણ અંક ભાગ્યશાળી હોઈ શકે. જો તેઓ સમાન તારીખ અથવા નંબર અનુસાર કામ કરે તો તેમને લાભ મળશે.

8 નવેમ્બરનો દિવસ દેશ માટે મહત્વપૂર્ણ : અંકશાસ્ત્રીઓના મતે 8 નવેમ્બરનો દિવસ દેશ માટે પણ મહત્વપૂર્ણ છે. ભારતનો ગણતંત્ર દિવસ પણ 26 જાન્યુઆરીએ છે. એટલે કે 2 અને 6 મળીને 8 થાય છે. એ જ રીતે વર્ષ 2024 પણ નંબર 8 નો સંયોગ છે. આવી સ્થિતિમાં 8મી નવેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહ એ સંયોગ નથી પરંતુ સમજી વિચારીને આ તારીખે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે.