
સુતા સમયે : ઘણીવાર લોકો જ્યારે રાત્રે ઊંઘી શકતા નથી ત્યારે તેમના પગ હલાવતા રહે છે, આ પણ યોગ્ય નથી માનવામાં આવતું. આમ કરવાથી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને પરિવારમાં કોઈ કારણ વગર ઝઘડા થાય છે.

જમતી વખતે પગ હલાવવા : ઘણા લોકોને જમતી વખતે ખુરશી કે ટેબલ પર બેસીને ધીમે-ધીમે પગ હલાવવાની આદત હોય છે. જમતી વખતે પગ હલાવવાને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી અન્ન દેવતાનું અપમાન થાય છે અને ઘરમાં ધન અને અનાજની સમસ્યા પણ રહે છે. જમતી વખતે પગ હલાવવાથી પરિવારના સભ્યો પર પણ નેગેટિવ ઈફેક્ટ પડે છે.

સતત પગ હલાવતા રહેવું તે નર્વસનેસની નિશાની છે અને સતત કોઈ અત્યંત વિચારમાં ડૂબેલા રહેવું કે કોઈ વિચાર કરતા રહેવું તેવું માનવામાં આવે છે. વધારે પડતું વિચારવાથી વ્યક્તિ નર્વસ થાય છે અને પગ હલાવવાનું શરુ કરે છે.

અનેક પ્રકારની બીમારીઓ : બેસતી વખતે કે સૂતી વખતે પગ હલાવવાથી પણ અનેક પ્રકારના રોગો થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આમ કરવાથી હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની આદતને 'રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ' તરીકે વર્ણવવામાં આવી છે અને તે એક ગંભીર રોગ છે. આ રોગને કારણે શરીરમાં હાર્ટ, કિડની, પાર્કિન્સન્સ વધવા અને આયર્નની ઉણપને લગતી સમસ્યાઓ પણ થાય છે.

(નોંધ : આ તમામ માહિતી લોકહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. આ કન્ટેન્ટનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. TV9 ગુજરાતી આ માહિતીની પુષ્ટી કરતું નથી.)