
મળતી માહિતી મુજબ, ભારતમાં સોનાના ભાવમાં વધારા પાછળ 'વૈશ્વિક પરિસ્થિતિ' અને 'કેન્દ્રીય બેંકો' દ્વારા કરવામાં આવતી સતત ખરીદી જેવા મોટા કારણો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ ટેટે 'રાઈઝિંગ ભારત સમિટ 2026' માં જણાવ્યું હતું કે, વિશ્વમાં જીઓ-પોલિટિકલ (Geopolitical) અનિશ્ચિતતા જળવાયેલી છે, જેના કારણે રોકાણકારો સોનાને સુરક્ષિત વિકલ્પ માની રહ્યા છે. 'ગ્લોબલ સ્થિતિ' અને 'કેન્દ્રીય બેંક' આ બે જ મુખ્ય કારણો છે કે, જેના લીધે સોનું મોંઘું થઈ રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, ઘણા દેશોની કેન્દ્રીય બેંકો પોતાનું ગોલ્ડ રિઝર્વ (સોનાનો ભંડાર) વધારી રહી છે. 'ભારત' પણ આ બાબતમાં પશ્ચિમી દેશોની સરખામણીએ હજુ પાછળ છે અને આગામી સમયમાં ખરીદી વધારી શકે છે.

ટેટના જણાવ્યા અનુસાર, ગત વર્ષે સોનામાં રોકાણની માંગ વધી હતી અને આ વલણ આગળ પણ ચાલુ રહી શકે છે. ચીનમાં નિયમોમાં છૂટછાટ અને જાપાનમાં પેઢી દર પેઢી સંપત્તિના હસ્તાંતરણ (Property transfer) જેવા કારણો પણ સોનાની માંગને ટેકો આપી રહ્યા છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે, જો અમેરિકામાં ઝડપી આર્થિક વૃદ્ધિ અને નિયંત્રિત મોંઘવારીનું વાતાવરણ બનશે, તો સોનાના ભાવમાં થોડી નરમાઈ આવી શકે છે.