
વિટામિન B12 શરીરમાં લાલ રક્તકણોની રચનામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રક્તકણો શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે વિટામિન B12 ની અછત થાય છે, ત્યારે લોહીમાં પૂરતા લાલ રક્તકણો બની શકતા નથી અને એનિમિયાની સમસ્યા ઊભી થાય છે. એનિમિયા થવાથી શરીરના કોષોને જરૂરી પ્રમાણમાં ઓક્સિજન અને ઉષ્મા મળતી નથી, જેના કારણે વ્યક્તિને વારંવાર ઠંડી લાગવાનો અનુભવ થાય છે. ( Credits: AI Generated )

વિટામિન Dને સામાન્ય રીતે “સૂર્યપ્રકાશનું વિટામિન” તરીકે ઓળખવામાં આવે છે. આ વિટામિન રોગપ્રતિકારક શક્તિને સક્રિય બનાવવામાં અને શરીરમાં થતી આંતરિક ગરમીનું સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. વિવિધ અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જેમને વિટામિન Dની કમી હોય છે, તેઓમાં શરદી અથવા ફ્લૂ જેવી ઋતુજન્ય બીમારીઓ થવાની શક્યતા વધુ રહે છે. એટલું જ નહીં, વિટામિન D થાઇરોઇડ ગ્રંથિના કાર્ય પર પણ અસર કરે છે, જે શરીરના તાપમાનનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો થાઇરોઇડ યોગ્ય રીતે કાર્ય ન કરે, તો શરીરમાં ગરમી ઓછી બનતી હોવાથી વધારે ઠંડી લાગવાની સમસ્યા ઊભી થઈ શકે છે. ( Credits: AI Generated )

ઠંડીથી બચવા માટે તમારા આહારમાં ગરમી આપતા ખોરાકનો સમાવેશ કરો. પાલક, બીટ, ઈંડા, માછલી, ચિકન તેમજ દૂધ-દહીં જેવા આયર્ન અને B12 ભરપૂર પદાર્થો ઉપયોગી છે. સૂપ અથવા ચામાં આદુ-લસણ ઉમેરવાથી ચયાપચય વધે છે અને શરીરમાં ગરમી રહે છે. બદામ, અખરોટ અને ખજૂર જેવા સૂકા ફળો ઉર્જા આપે છે, જ્યારે તજ, હળદર અને કાળા મરી જેવા મસાલા અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )