હોળી રમતા યોગી આદિત્યનાથે કહ્યું- આપણે એક થઈશું તો કોઈ તાકાત આપણને રોકી નહીં શકે

|

Mar 14, 2025 | 5:46 PM

હોળી ઘૂળેટીના પાવન પર્વ પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સમાન્ય નાગરિકોની સાથે હોળીનો તહેવાર ઉજવ્યો હતો. ગોરખપુરમાં ઉપસ્થિત મેદનીને સંબોધન કરતા યોગીએ કહ્યું કે, જો આપણે સૌ એક થઈશુ તો વિશ્વની તોઈ તાકાત આપણને રોકી નહીં શકે. વિશ્વની કોઈ શક્તિ તેને વિકાસ કરતા રોકી શકશે નહીં. સીએમએ કહ્યું, હોળીનો સંદેશ સરળ છે - એકતા થકી જ આ દેશ એક થઈ શકશે.

1 / 6
ગોરખપુરમાં હોળીનો તહેવાર ઉજવતા ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાષ્ટ્રીય એકતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વની કોઈ શક્તિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાથી રોકી શકશે નહીં.

ગોરખપુરમાં હોળીનો તહેવાર ઉજવતા ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાષ્ટ્રીય એકતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વની કોઈ શક્તિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાથી રોકી શકશે નહીં.

2 / 6
યોગીએ કહ્યું કે, સનાતન ધર્મની એક જ ઘોષણા છે અને તે ઘોષણા એ છે કે જ્યાં ધર્મ હશે ત્યાં વિજય થશે. ભારત ત્યારે જ વિકાસ કરી શકે છે જ્યારે તે સંગઠિત હશે.

યોગીએ કહ્યું કે, સનાતન ધર્મની એક જ ઘોષણા છે અને તે ઘોષણા એ છે કે જ્યાં ધર્મ હશે ત્યાં વિજય થશે. ભારત ત્યારે જ વિકાસ કરી શકે છે જ્યારે તે સંગઠિત હશે.

3 / 6
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે સનાતન ધર્મની તાકાત આપણી આસ્થામાં રહેલી છે. એ શ્રદ્ધાનો આત્મા આપણા તહેવારોમાં છે. સનાતન ધર્મની પરંપરા આ ધર્મમાં તહેવારો અને ઉજવણીની પરંપરા જેટલી સમૃદ્ધ છે, તેટલી અન્ય કોઈ દેશ કે ધર્મમાં નથી. આ તહેવારો થકી જ ભારત પ્રગતિ કરશે. ભારતના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના લોકોને આ ઉજવણીમાં ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લેવાની તક મળે છે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે સનાતન ધર્મની તાકાત આપણી આસ્થામાં રહેલી છે. એ શ્રદ્ધાનો આત્મા આપણા તહેવારોમાં છે. સનાતન ધર્મની પરંપરા આ ધર્મમાં તહેવારો અને ઉજવણીની પરંપરા જેટલી સમૃદ્ધ છે, તેટલી અન્ય કોઈ દેશ કે ધર્મમાં નથી. આ તહેવારો થકી જ ભારત પ્રગતિ કરશે. ભારતના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના લોકોને આ ઉજવણીમાં ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લેવાની તક મળે છે.

4 / 6
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તાજેતરમાં યોજાયેલા મહાકુંભનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ કહ્યું કે, સનાતન ધર્મની ટીકા કરનારાઓએ પ્રયાગરાજના મહાકુંભમાં તેની અને ભારતની તાકાત જોઈ, જ્યાં 66 કરોડથી વધુ લોકોએ કોઈપણ ભેદભાવ વિના પવિત્ર સ્નાન કર્યું.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તાજેતરમાં યોજાયેલા મહાકુંભનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ કહ્યું કે, સનાતન ધર્મની ટીકા કરનારાઓએ પ્રયાગરાજના મહાકુંભમાં તેની અને ભારતની તાકાત જોઈ, જ્યાં 66 કરોડથી વધુ લોકોએ કોઈપણ ભેદભાવ વિના પવિત્ર સ્નાન કર્યું.

5 / 6
યોગી આદિત્યનાથે કહ્યું કે, મહાકુંભ જેવો અનોખો નજારો જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જે લોકો વિચારતા હતા કે હિંદુઓ જાતિના આધારે વહેંચાયેલા છે, તેઓએ આ જોવું જોઈએ. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર પરિસરમાં હોલિકા દહન સ્થળ પર પૂજા અને આરતી કરી હતી અને ત્યારબાદ હોળીની ઉજવણી શરૂ કરી હતી.

યોગી આદિત્યનાથે કહ્યું કે, મહાકુંભ જેવો અનોખો નજારો જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જે લોકો વિચારતા હતા કે હિંદુઓ જાતિના આધારે વહેંચાયેલા છે, તેઓએ આ જોવું જોઈએ. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર પરિસરમાં હોલિકા દહન સ્થળ પર પૂજા અને આરતી કરી હતી અને ત્યારબાદ હોળીની ઉજવણી શરૂ કરી હતી.

6 / 6
સીએમ યોગીએ ફૂલોની વર્ષા કરીને અને લોકો પર રંગો ફેંકીને હોળી રમી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર લોકો હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે હોળીનો સંદેશ છે - 'એકતા થકી જ દેશ અખંડ રહેશે', રંગોની હોળી, ઉત્સાહ, ઉમંગ, સમાનતા, સમરસતા, સમરસતાની હોળી, અસત્ય પર સત્યના વિજયની હોળી, 'રંગોત્સવ'ની ફરી એકવાર રાજ્યની જનતાને શુભેચ્છાઓ!

સીએમ યોગીએ ફૂલોની વર્ષા કરીને અને લોકો પર રંગો ફેંકીને હોળી રમી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર લોકો હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે હોળીનો સંદેશ છે - 'એકતા થકી જ દેશ અખંડ રહેશે', રંગોની હોળી, ઉત્સાહ, ઉમંગ, સમાનતા, સમરસતા, સમરસતાની હોળી, અસત્ય પર સત્યના વિજયની હોળી, 'રંગોત્સવ'ની ફરી એકવાર રાજ્યની જનતાને શુભેચ્છાઓ!

Published On - 2:58 pm, Fri, 14 March 25