
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તાજેતરમાં યોજાયેલા મહાકુંભનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ કહ્યું કે, સનાતન ધર્મની ટીકા કરનારાઓએ પ્રયાગરાજના મહાકુંભમાં તેની અને ભારતની તાકાત જોઈ, જ્યાં 66 કરોડથી વધુ લોકોએ કોઈપણ ભેદભાવ વિના પવિત્ર સ્નાન કર્યું.

યોગી આદિત્યનાથે કહ્યું કે, મહાકુંભ જેવો અનોખો નજારો જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જે લોકો વિચારતા હતા કે હિંદુઓ જાતિના આધારે વહેંચાયેલા છે, તેઓએ આ જોવું જોઈએ. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર પરિસરમાં હોલિકા દહન સ્થળ પર પૂજા અને આરતી કરી હતી અને ત્યારબાદ હોળીની ઉજવણી શરૂ કરી હતી.

સીએમ યોગીએ ફૂલોની વર્ષા કરીને અને લોકો પર રંગો ફેંકીને હોળી રમી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર લોકો હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે હોળીનો સંદેશ છે - 'એકતા થકી જ દેશ અખંડ રહેશે', રંગોની હોળી, ઉત્સાહ, ઉમંગ, સમાનતા, સમરસતા, સમરસતાની હોળી, અસત્ય પર સત્યના વિજયની હોળી, 'રંગોત્સવ'ની ફરી એકવાર રાજ્યની જનતાને શુભેચ્છાઓ!
Published On - 2:58 pm, Fri, 14 March 25