
રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ શકે છે: જો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય, તો આપણે જલ્દી બીમાર પડતા નથી. લસણના એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે તેને લાંબા સમય સુધી ન ખાઓ, તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.

પાચનક્રિયા ખરાબ થઈ શકે છે: લસણ અને ડુંગળીમાં રહેલા નેચરલ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો પાચનમાં સુધારો કરવાનું કામ કરે છે. જો તમે તેને ખાવાનું બંધ કરી દો છો, તો તમને એસિડિટી, કબજિયાત અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ફાયદાની વાત કરીએ તો, જો તમને ગેસ અને કબજિયાતની સમસ્યા હોય તો તમારે સવારે ખાલી પેટે લસણની કળી ખાવી જોઈએ. ડુંગળીમાં આયર્ન, પોટેશિયમ અને વિટામિન સી તેમજ બી6 જેવા ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે, જેનાથી આપણા શરીરમાં એનર્જિ બની રહે છે.

ડુંગળી અને લસણ શરદી-ફ્લૂમાં રાહત આપે છે. વધુમાં તે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ પણ ઘટાડે છે. તદુપરાંત હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.