
ઇક્વિટી શેરમાં રૂપાંતરિત થવાની કુલ રકમ રૂ. 36,950 કરોડ છે. વોડાફોન આઈડિયાએ જણાવ્યું હતું કે તેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) અને અન્ય સત્તાવાળાઓ તરફથી જરૂરી ઓર્ડર જારી થયાના 30 દિવસની અંદર 10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા 3,695 કરોડ ઇક્વિટી શેર 10 રૂપિયાના ઇશ્યૂ ભાવે ઇશ્યૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે નવા ઇક્વિટી શેર જાહેર કર્યા પછી, કંપનીમાં ભારત સરકારનો હિસ્સો વર્તમાન 22.60 ટકાથી વધીને લગભગ 48.99 ટકા થશે. આ સાથે, વોડાફોન આઈડિયાએ કહ્યું કે તેના પ્રમોટરો પાસે કંપનીનું સંચાલન નિયંત્રણ ચાલુ રહેશે. દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની સરકારને સ્પેક્ટ્રમ હરાજીની રકમ ચૂકવી શકી ન હતી. જે બાદ કંપનીએ બાકી ચૂકવણીના બદલામાં 22.6 ટકા હિસ્સો સરકારને સોંપી દીધો.

સરકાર તરફથી આ રાહત બાદ, વોડાફોન આઈડિયાને 5G પર રોકાણ કરવાની તક મળી શકે છે. ઉપરાંત, મંગળવારથી કંપનીના શેરમાં વધારો જોવા મળી શકે છે. માહિતી અનુસાર, શુક્રવારે કંપનીના શેર 1.73 ટકાના ઘટાડા સાથે રૂ. 6.81 પર બંધ થયા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન, વોડાફોન આઈડિયાના શેર ₹6.77 ના દિવસના નીચલા સ્તરે પહોંચ્યા. હાલમાં કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 48,618.66 થઈ ગયું છે. (All Image - Canva)