સવારે ઊઠતા જ સૌથી પહેલાં શું કરવું? આ ‘7 સરળ’ વાસ્તુ ઉપાય અજમાવો, આખો દિવસ રહેશે ‘ઊર્જાવાન’ અને ઘરમાં આવશે ‘અપરંપાર સમૃદ્ધિ’

સવારનો સમય આપણા આખા દિવસની દિશા અને દશા નક્કી કરે છે. જો સવારની શરૂઆત યોગ્ય અને સકારાત્મક રીતે થાય, તો પૂરો દિવસ ઊર્જાવાન, શાંતિપૂર્ણ તેમજ સફળ રહે છે. વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક પરંપરાઓમાં એવી કેટલીક ખૂબ જ સરળ પણ ચમત્કારી ટેવો જણાવવામાં આવી છે કે, જેને રોજિંદી દિનચર્યામાં જોડવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિના રસ્તા ખુલે છે.

| Updated on: Aug 25, 2026 | 3:14 PM
1 / 6
સવારનો સમય દિવસની શરૂઆત માટે ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે. સવારે ઊઠ્યા પછી આપણે શું કરીએ છીએ, તેનાથી આપણો મૂડ અને દિવસની શરૂઆત વધુ સારી બની શકે છે. વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓમાં પણ સવારે કરવામાં આવતા કેટલાક કામોને શુભ માનવામાં આવ્યા છે. વાસ્તુના જણાવ્યા અનુસાર, જો સવારની શરૂઆત સારા વિચારો અને સાચી ટેવો સાથે કરવામાં આવે, તો દિવસ સકારાત્મક રીતે શરૂ થાય છે. ખાસ વાત એ છે કે, આ કામો માટે વધુ સમયની જરૂર નથી. તમે તેને તમારી દિનચર્યામાં સરળતાથી જોડી શકો છો.

સવારનો સમય દિવસની શરૂઆત માટે ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે. સવારે ઊઠ્યા પછી આપણે શું કરીએ છીએ, તેનાથી આપણો મૂડ અને દિવસની શરૂઆત વધુ સારી બની શકે છે. વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓમાં પણ સવારે કરવામાં આવતા કેટલાક કામોને શુભ માનવામાં આવ્યા છે. વાસ્તુના જણાવ્યા અનુસાર, જો સવારની શરૂઆત સારા વિચારો અને સાચી ટેવો સાથે કરવામાં આવે, તો દિવસ સકારાત્મક રીતે શરૂ થાય છે. ખાસ વાત એ છે કે, આ કામો માટે વધુ સમયની જરૂર નથી. તમે તેને તમારી દિનચર્યામાં સરળતાથી જોડી શકો છો.

2 / 6
પલંગ પરથી ઊઠ્યા પછી થોડી ક્ષણો માટે તમારી બંને હથેળીઓને જુઓ. ધાર્મિક માન્યતા અનુસાર, હથેળીના અલગ-અલગ ભાગોમાં માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. આવું કરવાથી દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરવાની ભાવના આવે છે. જો તમે ઈચ્છો તો આ સમય દરમિયાન મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરી શકો છો.

પલંગ પરથી ઊઠ્યા પછી થોડી ક્ષણો માટે તમારી બંને હથેળીઓને જુઓ. ધાર્મિક માન્યતા અનુસાર, હથેળીના અલગ-અલગ ભાગોમાં માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. આવું કરવાથી દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરવાની ભાવના આવે છે. જો તમે ઈચ્છો તો આ સમય દરમિયાન મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરી શકો છો.

3 / 6
પલંગ પરથી નીચે પગ મૂકતા પહેલા ધરતીને સ્પર્શ કરીને પ્રણામ કરો. ધાર્મિક માન્યતામાં આને ધરતી માતા પ્રત્યે આદર વ્યક્ત કરવાનો એક રસ્તો માનવામાં આવે છે. તમે મનમાં ને મનમાં ધરતી માતાને પ્રણામ કરીને પછી તમારા દિવસની શરૂઆત કરી શકો છો. આ એક નાની ટેવ છે, જેને અપનાવવી ખૂબ જ સરળ છે. સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરવું ધાર્મિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. આ માટે તાંબાના કે કોઈ સ્વચ્છ લોટામાં ચોખ્ખું પાણી લઈને સૂર્ય તરફ જોઈને ધીમે-ધીમે જળ અર્પિત કરી શકો છો. ધાર્મિક માન્યતા અનુસાર, સૂર્યને જળ આપવાથી આત્મવિશ્વાસ અને મનની શાંતિ સાથે જોડાયેલી સારી ભાવના જળવાઈ રહે છે. આને સવારની એક સારી ટેવ તરીકે પણ અપનાવી શકાય છે.

પલંગ પરથી નીચે પગ મૂકતા પહેલા ધરતીને સ્પર્શ કરીને પ્રણામ કરો. ધાર્મિક માન્યતામાં આને ધરતી માતા પ્રત્યે આદર વ્યક્ત કરવાનો એક રસ્તો માનવામાં આવે છે. તમે મનમાં ને મનમાં ધરતી માતાને પ્રણામ કરીને પછી તમારા દિવસની શરૂઆત કરી શકો છો. આ એક નાની ટેવ છે, જેને અપનાવવી ખૂબ જ સરળ છે. સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરવું ધાર્મિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. આ માટે તાંબાના કે કોઈ સ્વચ્છ લોટામાં ચોખ્ખું પાણી લઈને સૂર્ય તરફ જોઈને ધીમે-ધીમે જળ અર્પિત કરી શકો છો. ધાર્મિક માન્યતા અનુસાર, સૂર્યને જળ આપવાથી આત્મવિશ્વાસ અને મનની શાંતિ સાથે જોડાયેલી સારી ભાવના જળવાઈ રહે છે. આને સવારની એક સારી ટેવ તરીકે પણ અપનાવી શકાય છે.

4 / 6
સવારે તૈયાર થયા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી શકો છો. તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો અને થોડી મિનિટો શાંત થઈને બેસો. જો તમારી પાસે વધુ સમય ન હોય, તો માત્ર 2 થી 5 મિનિટ આંખો બંધ કરીને ભગવાનનું નામ લેવું પણ પૂરતું છે. આનાથી શાંત મન સાથે દિવસની શરૂઆત કરવામાં મદદ મળી શકે છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય, તો સવારે તેને જળ અર્પિત કરી શકો છો. હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસી પાસે થોડી ક્ષણ બેસવું અને છોડની સંભાળ રાખવી એ પણ સારી ટેવ હોઈ શકે છે. આનાથી ઘરમાં હરિયાળી રહે છે અને સવારનો સમય પણ સરસ વિતે છે.

સવારે તૈયાર થયા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી શકો છો. તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો અને થોડી મિનિટો શાંત થઈને બેસો. જો તમારી પાસે વધુ સમય ન હોય, તો માત્ર 2 થી 5 મિનિટ આંખો બંધ કરીને ભગવાનનું નામ લેવું પણ પૂરતું છે. આનાથી શાંત મન સાથે દિવસની શરૂઆત કરવામાં મદદ મળી શકે છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય, તો સવારે તેને જળ અર્પિત કરી શકો છો. હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસી પાસે થોડી ક્ષણ બેસવું અને છોડની સંભાળ રાખવી એ પણ સારી ટેવ હોઈ શકે છે. આનાથી ઘરમાં હરિયાળી રહે છે અને સવારનો સમય પણ સરસ વિતે છે.

5 / 6
ઘરનો મુખ્ય દરવાજો એ સૌથી ખાસ ભાગ હોય છે. તેથી સવારે તેને સાફ રાખવો એ સારી ટેવ છે. સવારે દરવાજા આસપાસની જગ્યા સાફ કરી દો અને ત્યાં કચરો કે બિનજરૂરી સામાન ભેગો ન થવા દો. વાસ્તુ માન્યતામાં સાફ મુખ્ય દરવાજાને ઘરમાં સુખ-સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. સવારે બાલ્કની, છત કે કોઈ સુરક્ષિત જગ્યાએ પક્ષીઓ માટે ચણ અને પાણી મૂકી શકો છો. ગરમીની ઋતુમાં ચોખ્ખું પાણી મૂકવું વિશેષરૂપે સારું રહે છે. પક્ષીઓની મદદ કરવી એ એક અદ્ભુત કામ છે અને આનાથી મનને પણ આનંદ અનુભવાય છે.

ઘરનો મુખ્ય દરવાજો એ સૌથી ખાસ ભાગ હોય છે. તેથી સવારે તેને સાફ રાખવો એ સારી ટેવ છે. સવારે દરવાજા આસપાસની જગ્યા સાફ કરી દો અને ત્યાં કચરો કે બિનજરૂરી સામાન ભેગો ન થવા દો. વાસ્તુ માન્યતામાં સાફ મુખ્ય દરવાજાને ઘરમાં સુખ-સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. સવારે બાલ્કની, છત કે કોઈ સુરક્ષિત જગ્યાએ પક્ષીઓ માટે ચણ અને પાણી મૂકી શકો છો. ગરમીની ઋતુમાં ચોખ્ખું પાણી મૂકવું વિશેષરૂપે સારું રહે છે. પક્ષીઓની મદદ કરવી એ એક અદ્ભુત કામ છે અને આનાથી મનને પણ આનંદ અનુભવાય છે.

6 / 6
આમાંથી બધા કામ રોજ કરવા જરૂરી નથી. તમે તમારી અનુકૂળતા મુજબ એક કે બે કામથી શરૂઆત કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે, સવારનો સમય સારા વિચારો અને શાંત મન સાથે શરૂ થાય. ધ્યાન રાખો કે, વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલા આ ઉપાયોને શ્રદ્ધા અને પરંપરા તરીકે જોવામાં આવે છે. તેના પરિણામો વ્યક્તિની માન્યતા પર આધાર રાખે છે.

આમાંથી બધા કામ રોજ કરવા જરૂરી નથી. તમે તમારી અનુકૂળતા મુજબ એક કે બે કામથી શરૂઆત કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે, સવારનો સમય સારા વિચારો અને શાંત મન સાથે શરૂ થાય. ધ્યાન રાખો કે, વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલા આ ઉપાયોને શ્રદ્ધા અને પરંપરા તરીકે જોવામાં આવે છે. તેના પરિણામો વ્યક્તિની માન્યતા પર આધાર રાખે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.