
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દીશામાં મોટો અરીસો લગાવવો લાભદાયી માનવામાં આવે છે. એવું કરવાથી જીવનમાં ઉદભવતી નકારાત્મક પરિસ્થિતિઓ હળવી થવા લાગે છે અને અનુકૂળતા વધે છે. સાથે જ, વાસ્તુ સંબંધિત દોષોમાંથી મુક્તિ મેળવવામાં પણ આ ઉપાય સહાયક સાબિત થાય છે. ( Credits: Getty Images )

જો તમે જીવનમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવા માંગતા હોવ, તો પલંગ ગોઠવતી વખતે તેનું મુખ દક્ષિણ તરફ રાખવો લાભદાયક ગણાય છે. આ દિશામાં સુવાથી ઘરમાં શાંતિ અને સ્થિરતા રહે છે. સૂતી વખતે માથું દક્ષિણ તરફ અને પગ ઉત્તર તરફ હોવા જોઈએ, એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. ( Credits: Getty Images )

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credits: Getty Images )