
મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પોતે પત્રકાર રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2002માં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે લગ્ન કર્યા હતા.

આ પેલેસ ચાર માળનો છે અને લગભગ 700 એકરમાં ફેલાયેલો છે. તેની આસપાસ સુંદર બગીચાઓ બનાવવામાં આવ્યા છે, જેને ખ્યાતનામ વનસ્પતિશાસ્ત્રી સર વિલિયમ ગોલ્ડરિંગે ડિઝાઇન કર્યા હતા.

ખાસ વાત એ છે કે સામાન્ય લોકો પણ આ પેલેસ જોઈ શકે છે. માત્ર ₹150ની ટિકિટ લઈ તમે મહેલની મુલાકાત લઈ શકો છો. જો તમે અહીંના સંગ્રહાલય પણ જોવું ઈચ્છો તો વધારાના ₹150 ચૂકવવા પડે છે.

મહેલમાં જ્યારે મહારાજા હાજર હોય ત્યારે બહાર લાલ બત્તી ચાલુ કરી દેવામાં આવે છે — જે તેનો સંકેત આપે છે.