
નાગેશ્વરથી 25 કિલોમીટર દૂર રુક્મિણી મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. રુક્મિણી મંદિરમાં તમે સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. આ ઉપરાંત ગોમતી ઘાટની મુલાકાત પણ તમે લઈ શકો છો.

દ્વારકાના દરિયાકાંઠાના પ્રદેશની નજીક આવેલા મરીન નેશનલ પાર્કની મુલાકાત પણ લઈ શકો છો. જે નાગેશ્વરથી આશરે 45 થી 50 કિલો મીટરના અંતરે આવેલું છે. આ મરીન નેશનલ પાર્કમાં તમે બોટ રાઈડ્સ અને દરિયાઈ જીવોને નિહાળી શકો છો. અહીં આશરે એન્ટ્રી ફી 50 થી 100 રુપિયા છે.