
આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે અને દુનિયાભરમાંથી લોકો તેને જોવા માટે આવે છે. આ પ્રતિમા ગુજરાતના કેવડિયા કોલોનીમાં નર્મદા નદીના કિનારે આવેલી છે. તેનું બાંધકામ 2013માં શરૂ થયું હતું અને તેનું ઉદ્ઘાટન 2018 માં થયું હતું. બાળકોને ફરવાની સાથે અહી ખુબ મજા પણ આવશે.

ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, આ અભ્યારણ પ્રાણીને જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ છે, સાસણ ગીરની મુલાકાતનું આયોજન કરવાની સાથે નજીક આવેલા જૂનાગઢ અને સોમનાથ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ખાસ તો બાળકોને એટલા માટે આ સ્થળે ખુબ મજા આવશે કારણ કે, અહી જંગલ સફારીની પણ મજા માણી શકો છો.

સાપુતારાગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત છે. સાપુતારા ઉનાળામાં ગુજરાતમાં ફરવા માટેના લોકપ્રિય સ્થળોમાંનું એક છે. મોટાભાગના લોકો તો અહી ચોમાસામાં પણ ફરવા જવાનો પ્લાન બનાવે છે પરંતુ ગરમીમાં ફરવા માટે સાપુતારા હિલ સ્ટેશન બાળકો સાથે બેસ્ટ રહેશે. સાપુતારા ગુજરાતના શ્રેષ્ઠ પિકનિક સ્થળોમાનું એક છે.

તમે ધાર્મિક સ્થળો પર પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો. દ્વારકાધીશ મંદિર ,સોમનાથ મંદિર ,અંબાજી મંદિર શક્તિપીઠ,શામળાજી મંદિર ,જૈન મંદિર, નાગેશ્વર શિવ મંદિર ,બહુચરાજી મંદિર અને જલારામ મંદિર - વિરપુર ફરવાનો પ્લાન બનાવી શકો છો.