
દ્વારકાના સિગ્નેચર બ્રિજ સુદર્શન બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પણ પ્રવાસીઓ દ્વારકાની મુલાકાતે આવે ત્યારે સિગ્નેચર બ્રિજની જરુર મુલાકાત લે છે.ઓખા અને બેટ દ્વારકાને જોડતો આ બ્રિજ કુલ લંબાઈ 2320 મીટર ધરાવે છે.2.32 કિમી લાંબા બ્રિજમાં અંદાજે 978 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

તખ્તેશ્વર મંદિર ભાવનગર શહેરમાં એક ટેકરી પર આવેલ છે. તે સફેદ આરસના પથ્થરમાંથી બનેલું ભગવાન શંકરનું મંદિર છે. આ મંદિર શહેરમા આવેલું સુંદર જોવા લાયક સ્થળ છે. આ મંદિર ઉંચાઇ પર આવેલ હોવાથી આખા શહેરનો સુંદર નજારો અહીંથી જોઇ શકાય છે.

સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. અહીના જોવા લાયક સ્થળોની વાત કરવામાં આવે ઈડરનો ગઢ,ખેડબ્રહ્માનું અંબાજી અને બ્રહ્મા મંદિર,સપ્તેશ્વર,વિરેશ્વર,પોળો ફોરેસ્ટ છે.