Travel Tips : જન્માષ્ટમી પર મળી રહી છે રજાઓ તો ગુજરાતના આ ફેમસ કૃષ્ણ મંદિરની મુલાકાત લો

જન્માષ્ટમી દરમિયાન જોવા માટેના શ્રેષ્ઠ સ્થળો મથુરા, વૃંદાવન, દ્વારકા, ગોકુલ અને મુંબઈ છે. દ્વારકામાં દ્વારકાધીશ મંદિર છે, ગોકુલ છે જ્યાં ભગવાન કૃષ્ણનો ઉછેર થયો હતો, અને મુંબઈ તેના દહી હાંડી ઉત્સવ માટે પ્રખ્યાત છે.તો આજે આપણે ગુજરાતમાં જન્માષ્ટમીમાં ફરવા લાયક બેસ્ટ સ્થળની વાત કરીએ

| Updated on: Aug 03, 2025 | 12:54 PM
1 / 6
જો તમે લાંબા સમયથી ક્યાંક ફરવા જવા માંગતા હો, તો આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે પરિવાર સાથે ફરવા જઈ શકો છો. આ સ્થળો પર કૃષ્ણના મંદિરો આવેલા છે.

જો તમે લાંબા સમયથી ક્યાંક ફરવા જવા માંગતા હો, તો આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે પરિવાર સાથે ફરવા જઈ શકો છો. આ સ્થળો પર કૃષ્ણના મંદિરો આવેલા છે.

2 / 6
દ્વારકાએ ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત રાજ્ય છે અને ચાર ધામોમાંનું એક છે.તેમાં દ્વારકાધીશ મંદિર આવેલું છે, જે જન્માષ્ટમી દરમિયાન ભક્તો માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.દ્વારકામાં જન્માષ્ટમી દરમિયાન, મંદિરમાં ખાસ પૂજા અને આરતી થાય છે, અને ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે.

દ્વારકાએ ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત રાજ્ય છે અને ચાર ધામોમાંનું એક છે.તેમાં દ્વારકાધીશ મંદિર આવેલું છે, જે જન્માષ્ટમી દરમિયાન ભક્તો માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.દ્વારકામાં જન્માષ્ટમી દરમિયાન, મંદિરમાં ખાસ પૂજા અને આરતી થાય છે, અને ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે.

3 / 6
શામળાજી, બીજું એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ, ભગવાન કૃષ્ણના એક સ્વરૂપને સમર્પિત છે.શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું છે.દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દર્શન કરવા માટે જાય છે

શામળાજી, બીજું એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ, ભગવાન કૃષ્ણના એક સ્વરૂપને સમર્પિત છે.શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું છે.દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દર્શન કરવા માટે જાય છે

4 / 6
ડાકોરમાં આવેલું રણછોડરાય મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત  મંદિર છે. જન્માષ્ટમી પર મંદિરમાં ખાસ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો મોટી સંખ્યામાં મંદિરની મુલાકાત લે છે.

ડાકોરમાં આવેલું રણછોડરાય મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે. જન્માષ્ટમી પર મંદિરમાં ખાસ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો મોટી સંખ્યામાં મંદિરની મુલાકાત લે છે.

5 / 6
અમદાવાદના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક હોવાને કારણે, હરે કૃષ્ણ મંદિર ફક્ત ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તો જ નહીં, પરંતુ આધ્યાત્મિક શાંતિની શોધમાં રહેલા લોકો પણ આવે છે. હરે કૃષ્ણ મંદિર ભાડજની તમે પણ જન્માષ્ટમી પર મુલાકાત લઈ શકો છો.

અમદાવાદના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક હોવાને કારણે, હરે કૃષ્ણ મંદિર ફક્ત ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તો જ નહીં, પરંતુ આધ્યાત્મિક શાંતિની શોધમાં રહેલા લોકો પણ આવે છે. હરે કૃષ્ણ મંદિર ભાડજની તમે પણ જન્માષ્ટમી પર મુલાકાત લઈ શકો છો.

6 / 6
અમદાવાદનું ઇસ્કોન મંદિર ખુબ ફેમસ છે, અમદાવાદમાં આવેલું ઇસ્કોન સંસ્થાનું આ મંદિર છે. આ મંદિર રાજપથ ક્લબ નજીક આવેલું છે.અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

અમદાવાદનું ઇસ્કોન મંદિર ખુબ ફેમસ છે, અમદાવાદમાં આવેલું ઇસ્કોન સંસ્થાનું આ મંદિર છે. આ મંદિર રાજપથ ક્લબ નજીક આવેલું છે.અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

Follow Us