
ડાકોરમાં આવેલું રણછોડરાય મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે. જન્માષ્ટમી પર મંદિરમાં ખાસ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો મોટી સંખ્યામાં મંદિરની મુલાકાત લે છે.

અમદાવાદના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક હોવાને કારણે, હરે કૃષ્ણ મંદિર ફક્ત ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તો જ નહીં, પરંતુ આધ્યાત્મિક શાંતિની શોધમાં રહેલા લોકો પણ આવે છે. હરે કૃષ્ણ મંદિર ભાડજની તમે પણ જન્માષ્ટમી પર મુલાકાત લઈ શકો છો.

અમદાવાદનું ઇસ્કોન મંદિર ખુબ ફેમસ છે, અમદાવાદમાં આવેલું ઇસ્કોન સંસ્થાનું આ મંદિર છે. આ મંદિર રાજપથ ક્લબ નજીક આવેલું છે.અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.