
જૂનાગઢમાં આવેલું ઈગલ મંદિર પણ ખુબ જ ફેમસ છે. જૂનાગઢમાં આવેલા ગણેશના આ ઈગલ મંદિરની ખાસ વાત એ છે કે, આ મંદિરમાં એક પણ દાન પેટી રાખવામાં આવી નથી. આ મંદિરમાં દર્શનાથીઓની ખુબ ભીડ જોવા મળે છે.

દૂધરાજ મંદિર વડોદરામાં આવેલું છે. આ મંદિરનો પણ એક મહિમા છે. ગણેશ ચતુર્થી પર આ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાથીઓ દર્શન માટે આવે છે.

ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે.આ ગામમાં ગણપતિનું આશરે 1200 વર્ષ જુનું મંદિર આવેલું છે. અહિ મેળો ભરાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર 900 વર્ષ જુનું છે

રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 24 કિલોમીટર દૂર આવેલા ઢાંક ગામમાં ગણેશજીનું મંદિર આવેલું છે. આ મંદિરની પણ તમે મુલાકાત લઈ શકો છો.

ગજાનન ગણપતિ મંદિર ભરૂચમાં આવેલું છે. આ મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તમે પણ ગુજરાતમાં આવેલા આ તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો. (all photo : gujarattourism)
Published On - 5:41 pm, Wed, 25 September 24