Travel Tips : આ વર્ષે શિમલા-મનાલી નહી પત્નીને લઈ જાવ ગુજરાતના આ સ્થળે, જે વિદેશીઓનું છે હોટફેવરિટ

કચ્છને દેશના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક ગણવામાં આવે છે. અહીં ફક્ત સામાન્ય લોકો જ નહીં પણ સેલિબ્રિટીઓ પણ આવે છે. તમે અહીં પરિવાર કે મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Nov 17, 2025 | 4:48 PM
1 / 7
ગુજરાતમાં અનેક જોવાલાયક અને ફરવાલાયક સ્થળો આવેલા છે. તેમાંથી એક કચ્છ લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ સ્થળ વિશ્વનું સૌથી મોટું રણ છે, જેને કચ્છના રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ફક્ત સામાન્ય લોકો જ નહીં પણ સેલિબ્રિટીઓ પણ મુલાકાત લે છે.

ગુજરાતમાં અનેક જોવાલાયક અને ફરવાલાયક સ્થળો આવેલા છે. તેમાંથી એક કચ્છ લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ સ્થળ વિશ્વનું સૌથી મોટું રણ છે, જેને કચ્છના રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ફક્ત સામાન્ય લોકો જ નહીં પણ સેલિબ્રિટીઓ પણ મુલાકાત લે છે.

2 / 7
જો તમે ગુજરાતની સંસ્કૃતિ, કલા અને પરંપરાઓનો અનુભવ કરવા અને સમજવા માંગતા હો, તો તમારે ચોક્કસપણે કચ્છની મુલાકાત લેવી જોઈએ. હવે શિમલા-મનાલી, કાશ્મીર નહી પરંતુ આ વર્ષે પરિવાર અને મિત્રો સાથે કચ્છમાં ફરવાનો પ્લાન બનાવી લો.

જો તમે ગુજરાતની સંસ્કૃતિ, કલા અને પરંપરાઓનો અનુભવ કરવા અને સમજવા માંગતા હો, તો તમારે ચોક્કસપણે કચ્છની મુલાકાત લેવી જોઈએ. હવે શિમલા-મનાલી, કાશ્મીર નહી પરંતુ આ વર્ષે પરિવાર અને મિત્રો સાથે કચ્છમાં ફરવાનો પ્લાન બનાવી લો.

3 / 7
શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને કચ્છડો બારે માસ તો એક વખત જરુર મુલાકાત લો. કચ્છનું રણ વિશ્વના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. એક અંદાજ મુજબ, આ વિસ્તાર 20,000 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. કચ્છના રણનો એક ભાગ પાકિસ્તાનમાં આવેલો છે, જ્યારે બીજો ભાગ ભારતમાં આવેલો છે.

શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને કચ્છડો બારે માસ તો એક વખત જરુર મુલાકાત લો. કચ્છનું રણ વિશ્વના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. એક અંદાજ મુજબ, આ વિસ્તાર 20,000 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. કચ્છના રણનો એક ભાગ પાકિસ્તાનમાં આવેલો છે, જ્યારે બીજો ભાગ ભારતમાં આવેલો છે.

4 / 7
તમે કચ્છ પહોંચ્યા બાદ ધોળાવીરા, વિજય વિલાસ પેલેસની પણ મુલાકાત લઈ શકો છો. વાસ્તુકળાની દષ્ટિએ આ પેલેસ ખુબ જ ખાસ છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છની મુલાકાત લેતા હોય છે.

તમે કચ્છ પહોંચ્યા બાદ ધોળાવીરા, વિજય વિલાસ પેલેસની પણ મુલાકાત લઈ શકો છો. વાસ્તુકળાની દષ્ટિએ આ પેલેસ ખુબ જ ખાસ છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છની મુલાકાત લેતા હોય છે.

5 / 7
 દર વર્ષે યોજાતો રણોત્સવ કચ્છના સાંસ્કૃતિક રંગોને પ્રતિબિંબિત કરે છે. સંસ્કૃતિ, કલા, સંગીત અને સ્થાનિક હસ્તકલાનો અનોખો સંગમ અહીં જોઈ શકાય છે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ ગુજરાતના પરંપરાગત લોકનૃત્ય અને સંગીતનો આનંદ માણી શકશે. ગરબા, ઘૂમર અને ઢોલની ધૂન આ તહેવારને વધુ વિશેષ બનાવે છે.

દર વર્ષે યોજાતો રણોત્સવ કચ્છના સાંસ્કૃતિક રંગોને પ્રતિબિંબિત કરે છે. સંસ્કૃતિ, કલા, સંગીત અને સ્થાનિક હસ્તકલાનો અનોખો સંગમ અહીં જોઈ શકાય છે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ ગુજરાતના પરંપરાગત લોકનૃત્ય અને સંગીતનો આનંદ માણી શકશે. ગરબા, ઘૂમર અને ઢોલની ધૂન આ તહેવારને વધુ વિશેષ બનાવે છે.

6 / 7
રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને વૈભવી ટેન્ટમાં રહેવાની તક મળે છે.વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ જેવી કુદરતી આફતમાંથી બેઠા થયેલા કચ્છ જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સફેદ રણને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે.

રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને વૈભવી ટેન્ટમાં રહેવાની તક મળે છે.વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ જેવી કુદરતી આફતમાંથી બેઠા થયેલા કચ્છ જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સફેદ રણને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે.

7 / 7
તમને જણાવી દઈએ કે,કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.  (all photo : gujarat tourisam)

તમને જણાવી દઈએ કે,કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. (all photo : gujarat tourisam)

Published On - 4:48 pm, Mon, 17 November 25

Follow Us
Loading...
Unable to load recommendations.