
પારનેરા ડુંગર ઐતિહાસિક મંદિરો માટે પ્રસિધ્ધ છે. જ્યાં ભગવાન શિવ, દેવી અંબિકા, ચંડિકા, નવદુર્ગા અને દેવી કાલિકાનું પ્રસિધ્ધ મંદિરો આવેલા છે. પારનેરા ગામ વલસાડથી અંદાજે 6 કિલોમીટર દુર આવેલું છે. અહિ તમને ડુંગરો પર કુદરતની લીલીછમ ચાદર પાથરેલી જોવા મળશે. અહિ દર વર્થે આઠમનો મેળો પણ ભરાય છે.

ચોમાસા દરમિયાન,વલસાડ જિલ્લામાં આવેલ ઘરમપુર ખાતે આવેલા શંકરધોધનું સૌદર્ય સોળે કલાએ વરસાદી નીરના કારણે ખીલે છે. આ ધોધમાં વરસાદ પડતાની સાથે પ્રવાસીઓ શંકર ધોધની મુલાકાત લેવા માટે પહોંચી જાય છે.