
જ્યારે સુરતની આસપાસ ફરવા માટે કેટલાક અદ્ભુત અને મનોહર સ્થળોની વાત આવે છે, ત્યારે ઘણા લોકો પહેલા હજીરાનું નામ લે છે. તાપી નદીના કિનારે સ્થિત હજીરા, સમગ્ર ભારતમાં એક મુખ્ય બંદર તરીકે જાણીતું છે. અહી દરરોજ એક ડઝનથી વધુ જહાજો અહીંથી આવે છે અને જાય છે. હજીરાથી અરબી સમુદ્ર અને પર્શિયન ગલ્ફની સુંદરતા જોઈ શકાય છે. તમે અહીં વોટર સ્પોર્ટ્સનો પણ આનંદ માણી શકો છો.

કેટલાક લોકો તણાવ દૂર કરવા માટે પરિવાર અને મિત્રો સાથે દરિયા કિનારાની મુલાકાત લે છે. લોકો પ્રકૃતિની વચ્ચે સુંદર સમય વિતાવીને હળવાશ અનુભવે છે. કેટલાક લોકો ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને શાંતિ શોધે છે, જ્યારે કેટલાક લોકો સમુદ્રની મુલાકાત લઈને મજા માણે છે. તો તમે પણ જો સુરત જઈ રહ્યા છો તો ઉભરાત બીચની મુલાકાત લઈ શકો છો.ઉભરત બીચએ સુરત જિલ્લામાં નવસારી નજીક આવેલો એક બીચ છે.

સરથાણા પાર્ક બાળકોનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. સરથાણા પાર્ક સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છે.જે ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉદ્યાન 81 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે

જો તમે બાળકો સાથે સુરતની મુલાકાત લેવા જઈ રહ્યા છો. તો સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ શકો છો.અંબિકા નિકેતન મંદિરનું નિર્માણ 1969 માં કરવામાં આવ્યું હતું અને તે અંબિકા દેવીને સમર્પિત હતું. અહી મોટી સંખ્યાં ભકતો દર્શન કરવા આવે છે.