
અક્ષરધામ એ ગુજરાત રાજ્યના સૌથી મોટા મંદિરોમાંનું એક છે. 2 નવેમ્બર, 1992 ના રોજ અક્ષરધામનું ઉદઘાટન થયું હતું. ગુજરાતની મુલાકાત લેનારા પ્રવાસીઓમાં આ મંદિર ખુબ લોકપ્રિય છે. તેમાં પણ રાત્રે થતાં લાઈટિંગ કાર્યક્રમને જોવા માટે પ્રવાસીઓ ખુબ જાય છે.

અડાલજ વાવ એ શહેરની લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે અને તે ગાંધીનગરથી 18 કિ.મી. દુર આવેલું છે. વાવની દિવાલો અને સ્તંભો પરની ડિઝાઇનમાં પાંદડા, ફૂલો, પક્ષીઓ, માછલી અને અન્ય આકર્ષક સુંદર ડિઝાઇનનો સમાવેશ થાય છે. વિદેશી પ્રવાસીઓ પણ અડાલજ વાવની મુલાકાત લે છે.

ઇન્દ્રોડા ડાયનાસોર પાર્ક બાળકોને ફરવા લઈ જવા માટે બેસ્ટ સ્થળ છે. જે અમદાવાદથી 30 કિમી દૂર આવેલું છે. જેને ભારતના Jurrasic પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે, ગાંધીનગર જવા માટે તમે મેટ્રો ટ્રેન તેમજ ડબલ ડેકર બસની મુસાફરી પણ કરી શકો છો.