
જો અહિ યંગ લોકો ફરવા માટે આવે છે તો તેના માટે રિવર રાફ્ટિંગ છે. બાળકો આવે તો તેના માટે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે અને વુદ્ધ લોકો આવે તો તેના માટે અહિ અલગ અલગ ગાર્ડન આવેલા છે. આરોગ્ય વન તેમજ એકતા નર્સરી પણ આવેલા છે.

તમને જણાવી દઈએ કે, અહિ ક્રુઝ પણ ચાલે છે. આજુ બાજુ પહાડો આવેલા છે. રાત્રિના સમયે અહિ નર્મદા કિનારે નર્મદાની મહાઆરતી પણ હોય છે. નર્મદા મહાઆરતીની સાથે પ્રવાસીઓ અહિ ડિજિટલ શોમાં પણ ભાગ લઈ શકે છે.

જો તમે સ્ટેચ્યુ ઓફ યૂનિટી ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે સૌથી પહેલા અમદાવાદ આવવાનું રહેશે. ત્યાંથી તમને વડોદરા માટે સીધી ટ્રેન મળી જશે. તેમજ અન્ય શહેરોમાંથી તમને વડોદરા સુધી બસ મળી જશે. અહિ થોડુ દુર આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી