
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2375 પ્રજાતિઓ છે, જેમાં 38 પ્રકારના સસ્તન પ્રાણી, 300થી વધુ પક્ષીઓ, 37 રેપ્ટાઇલ્સ અને 2000થી વધુ કીટકો સામેલ છે. એશિયાટિક સિંહ જેની વસ્તી હાલ 891 થઈ છે. જેને ગીરની શાન પણ માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય બંધ રાખવામાં આવે છે. સિંહનો પ્રજનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે ગીર અભયારણ બંધ રાખવામાં આવે છે.સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેંદ્રોના દેખભાળ કરવાનું કાર્ય કરવામાં આવે છે.

જો તમારે સાસણ ગીર અભ્યારણની મુલાકાત લેવા જવું છે, તો તમે ફ્લાઈટ દ્વારા જવું છે તો તમને રાજકોટ સુધીની ફ્લાઈટ મળી જશે. ત્યાંથી તમારે જૂનાગઢ અને ત્યારબાદ સાસણ ગીર જઈ શકશો.

જો તમારે ટ્રેન દ્વારા મુસાફરી કરવી છે તો તમને જૂનાગઢથી સાસણગીરની ટ્રેન મળી રહેશે. તેમજ જો તમારે બસમાં મુસાફરી કરવી છે તો પણ તમને જૂનાગઢથી અનેક બસ સાસણ ગીર સુધીની મળી રહેશે. (All Photo : Gir Online Permit Booking)