
માર્ગમાં જ્યારે રુકમણીને તરસ લાગી ત્યારે કૃષ્ણએ પાણી માટે પોતાનો અંગૂઠો જમીનમાં ખોસી ને પાણી કાઢ્યું. રુક્મણીએ આ પાણીથી પોતાની તરસ છીપાવી પરંતુ દુર્વાસાને પાણી માટેનું ન પૂછાતાં દુર્વાસાને અપમાનજનક લાગ્યું અને તેમણે રુક્મણીને તે તેના પતિથી અલગ રહેશે તેવો શ્રાપ આપ્યો હતો.

જો તમે રુકમણીના મંદિરે દર્શન કરવા માંગો છો. તો તેના માટે બસ કે પછી ટ્રેન દ્વારા દ્વારકા પહોંચવાનું રહેશે. અહિથી તમને લોકલ ટ્રાન્સપોર્ટના વાહનો સરળતાથી મળી જશે.