
આઈઆરસીટીસી દ્વારા આમતો અનેક સુવિધાઓ આપવામાં આવતી હોય છે. જેમાં ટ્રાવેલ વીમો પણ સામેલ છે.જેના માટે તમારે કેટલીક વસ્તુઓનું પણ ધ્યાન રાખવું પડશે. જ્યારે તમે ટ્રેનની ટિકિટ બુક કરી રહ્યા હોય ત્યારે એક ટ્રેન ટ્રાવેલ વીમાનું ઓપ્શન જોવા મળશે. તમારે આ ઓપ્શનની પસંદગી કરવાની રહેશે. આનો લાભ માત્ર એ લોકોને મળશે. જેમણે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય.

આ સાથે, એક PNR પર ટિકિટ બુક કરાવનારા તમામ મુસાફરોને તેનો લાભ મળે છે. મુસાફરોએ બીજી એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો તમારી ટિકિટ કેન્સલ થઈ ગઈ હોય કે RAC હોય તો પણ તમને આનો લાભ મળશે.

આ વીમાનો લાભ તમને કઈ રીતે મળશે, તો તમને જણાવી દઈએ કે, જો કોઈ ટ્રેન અકસ્માત થાય છે. તો ટ્રેનમાં મુસાફરી કરનાર લોકોએ ટિકિટ બુક કરાવતી વખતે ટ્રાવેલ વીમો લીધો છો તો તેને લાભ મળી શકે છે.

જો ટિકિટ બુક કરતી વખતે તમે ટ્રાવેલ વીમોનું ઓપ્શન પસંદ કર્યું નથી. તો તમે આના માટે ક્લેમ કરી શકશો નહિ. ઓનલાઈન ટિકિટ બુક કરનારને ટ્રાવેલ વિમાનો લાભ મળશે. ઓફલાઈન ટિકિટ બુક કરનારને લાભ મળશે નહિ.આ સાથે, ટિકિટ લેતી વખતે, એ ધ્યાનમાં રાખવું જરુરી છે કે નોમિનીની વિગતો ભરતી વખતે, ફક્ત તમારું મેઇલ આઈડી નાંખો.