
તમને જણાવી દઈએ કે, આ યોજનામાં લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, લક્ઝરી, સ્લીપર કોચ, એસી કોચ અને વોલ્વો બસો જેવા વિવિધ પ્રકારના સેવાનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં ‘મન ફાવે ત્યાં ફરો’યોજના અમલમાં મુકી છે. જેમાં ગુજરાતભરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિ માત્ર 4 થી 7 દિવસ દરમિયાન માત્ર 450થી 1450 રુપિયામાં ગુજરાતના કોઈ પણ ખુણે મુસાફરી કરી શકશે.

GSRTCની આ યોજના મુજબ માત્ર 450 રુપિયામાં અઠવાડિયું ગુજરાતના ગમે તે ખુણે મુસાફરી કરી શકશો. GSRTCની આ યોજનાથી પ્રવાસીઓ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.
Published On - 4:52 pm, Sun, 23 March 25