
નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી છે કે, સરકાર રાજ્યો સાથે ભાગીદારીમાં ટોચના 50 પર્યટન સ્થળોનો વિકાસ કરશે. સરકાર હોમસ્ટે માટે મુદ્રા લોન આપશે, જેનાથી મુસાફરીને સરળ થશે અને પર્યટન સ્થળો સાથેની કનેક્ટિવિટીમાં સુધારો થશે. ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં ભારતમાં તબીબી પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે

આ દરમિયાન બુદ્ધ પર્યટન સાથે જોડાયેલા સ્થળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ દરમિયાન નાણામંત્રીએ મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાની વાત પણ કરી. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં ભારતમાં તબીબી પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવશે.ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન મળશે.વિદેશી દર્દીઓ ભારતમાં સરળતાથી સારવાર મેળવી શકે તે માટે મેડિકલ વિઝા નિયમો હળવા કરવામાં આવશે.
Published On - 12:26 pm, Sat, 1 February 25