હનુમાનજીના 7 એવા ધામ, જ્યાં ભક્તો આજે પણ અનુભવે છે ચમત્કાર !

પૌરાણિક માન્યતાઓ અનુસાર, હનુમાનજી કળિયુગમાં એટલે કે આજે પણ પૃથ્વી પર અમર છે. એવું કહેવાય છે કે, ભગવાન જ્યારે કલ્કિ અવતાર લેશે ત્યારે તેમની સાથે હનુમાનજી પ્રગટ થશે અને તેઓ દુષ્ટતાનો નાશ કરવામાં ભગવાનના કલ્કિ અવતારને પણ સાથ આપશે.

| Updated on: Jun 15, 2025 | 2:57 PM
1 / 9
'કલ્કિ અવતાર'એ ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર છે. આ અવતાર કળિયુગના અંતમાં જોવા મળશે. પૌરાણિક કથાઓ અનુસાર, આ અવતાર ધર્મ સ્થાપિત કરવા અને અધર્મનો નાશ કરવા માટે આવશે. કલ્કિ ભગવાન વિષ્ણુનો જન્મ યશ નામના બ્રાહ્મણના ઘરે થશે અને તેમનું વાહન સફેદ ઘોડો હશે, જેના પર તે દુષ્ટોનો નાશ કરશે.

'કલ્કિ અવતાર'એ ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર છે. આ અવતાર કળિયુગના અંતમાં જોવા મળશે. પૌરાણિક કથાઓ અનુસાર, આ અવતાર ધર્મ સ્થાપિત કરવા અને અધર્મનો નાશ કરવા માટે આવશે. કલ્કિ ભગવાન વિષ્ણુનો જન્મ યશ નામના બ્રાહ્મણના ઘરે થશે અને તેમનું વાહન સફેદ ઘોડો હશે, જેના પર તે દુષ્ટોનો નાશ કરશે.

2 / 9
શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, હનુમાનજી આજના સમયમાં પણ અમુક ખાસ જગ્યાઓ પર નિવાસ કરે છે. લોકમુખે ચર્ચા છે કે, આ પવિત્ર ધામોમાં હનુમાનજી પોતાના ભક્તોની રક્ષા કરે છે. તો ચાલો જાણીએ, એવા સાત પાવન સ્થળો વિશે કે જ્યાં હનુમાનજીનું વાસ છે.

શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, હનુમાનજી આજના સમયમાં પણ અમુક ખાસ જગ્યાઓ પર નિવાસ કરે છે. લોકમુખે ચર્ચા છે કે, આ પવિત્ર ધામોમાં હનુમાનજી પોતાના ભક્તોની રક્ષા કરે છે. તો ચાલો જાણીએ, એવા સાત પાવન સ્થળો વિશે કે જ્યાં હનુમાનજીનું વાસ છે.

3 / 9
ચિત્રકૂટ (ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરહદ પર): રામચરિતમાનસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હનુમાનજી તેમના વનવાસ દરમિયાન શ્રી રામને પહેલી વાર અહીં મળ્યા હતા. ચિત્રકૂટની ગુફાઓ અને જંગલોમાં આજે પણ હનુમાનજીની હાજરી અનુભવી શકાય છે.

ચિત્રકૂટ (ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરહદ પર): રામચરિતમાનસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હનુમાનજી તેમના વનવાસ દરમિયાન શ્રી રામને પહેલી વાર અહીં મળ્યા હતા. ચિત્રકૂટની ગુફાઓ અને જંગલોમાં આજે પણ હનુમાનજીની હાજરી અનુભવી શકાય છે.

4 / 9
ગંધમાદન પર્વત (હિમાલય પ્રદેશ, ઉત્તરાખંડ): પૌરાણિક માન્યતા અનુસાર, હનુમાનજીએ સંજીવની ઔષધિ લીધા પછી અહીં તપસ્યા કરી હતી. આ સ્થળ હજુ પણ રહસ્યમય માનવામાં આવે છે અને અહીં જવું મુશ્કેલ છે.

ગંધમાદન પર્વત (હિમાલય પ્રદેશ, ઉત્તરાખંડ): પૌરાણિક માન્યતા અનુસાર, હનુમાનજીએ સંજીવની ઔષધિ લીધા પછી અહીં તપસ્યા કરી હતી. આ સ્થળ હજુ પણ રહસ્યમય માનવામાં આવે છે અને અહીં જવું મુશ્કેલ છે.

5 / 9
જગન્નાથ પુરી (ઓરિસ્સા): અહીં "બડા હનુમાન મંદિર"ની નજીક એવું માનવામાં આવે છે કે તેઓ હજુ પણ ભગવાન જગન્નાથની રક્ષા માટે કાયમી રીતે હાજર છે.

જગન્નાથ પુરી (ઓરિસ્સા): અહીં "બડા હનુમાન મંદિર"ની નજીક એવું માનવામાં આવે છે કે તેઓ હજુ પણ ભગવાન જગન્નાથની રક્ષા માટે કાયમી રીતે હાજર છે.

6 / 9
રાજસ્થાનનું સાલાસર બાલાજી: અહીંનું બાલાજી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને ભક્તોનું માનવું છે કે હનુમાનજી આજે પણ અહીં જીવંત સ્વરૂપમાં હાજર છે અને ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

રાજસ્થાનનું સાલાસર બાલાજી: અહીંનું બાલાજી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને ભક્તોનું માનવું છે કે હનુમાનજી આજે પણ અહીં જીવંત સ્વરૂપમાં હાજર છે અને ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

7 / 9
હનુમાન ધારા, ચિત્રકૂટ: એવું માનવામાં આવે છે કે, લંકા દહન પછી જ્યારે હનુમાનજીનું શરીર ગરમ થઈ ગયું ત્યારે તેમણે આ જળધારામાં સ્નાન કર્યું હતું. આજે પણ આ સ્થળને ઉર્જાવાન માનવામાં આવે છે.

હનુમાન ધારા, ચિત્રકૂટ: એવું માનવામાં આવે છે કે, લંકા દહન પછી જ્યારે હનુમાનજીનું શરીર ગરમ થઈ ગયું ત્યારે તેમણે આ જળધારામાં સ્નાન કર્યું હતું. આજે પણ આ સ્થળને ઉર્જાવાન માનવામાં આવે છે.

8 / 9
લક્ષ્મણપુરી (લખનૌ): એવું માનવામાં આવે છે કે, હનુમાનજી આજે પણ અહીં "અલીગંજ હનુમાન મંદિર"માં ભક્તોનું રક્ષણ કરી રહ્યા છે. આ મંદિર નવાબોના સમયથી છે. કહેવાય છે કે, આ મંદિર ચમત્કારો માટે પ્રખ્યાત છે.

લક્ષ્મણપુરી (લખનૌ): એવું માનવામાં આવે છે કે, હનુમાનજી આજે પણ અહીં "અલીગંજ હનુમાન મંદિર"માં ભક્તોનું રક્ષણ કરી રહ્યા છે. આ મંદિર નવાબોના સમયથી છે. કહેવાય છે કે, આ મંદિર ચમત્કારો માટે પ્રખ્યાત છે.

9 / 9
રામેશ્વરમ (તમિલનાડુ): હનુમાનજીએ શ્રી રામની લંકા યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આજે પણ ભક્તો અહીંના કિનારા પર તેમની હાજરીનો અનુભવ કરે છે.

રામેશ્વરમ (તમિલનાડુ): હનુમાનજીએ શ્રી રામની લંકા યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આજે પણ ભક્તો અહીંના કિનારા પર તેમની હાજરીનો અનુભવ કરે છે.

Published On - 2:55 pm, Sun, 15 June 25