દેશની આ સરકારી બેંકે કર્યો જંગી નફો, શું શેર બની જશે રોકેટ ?

|

Oct 28, 2024 | 4:57 PM

દેશની એક સરકારી બેન્ક ભારે નફો કર્યો છે. ત્રિમાસિક પરિણામોની અસર બેન્ક શેરમાં પણ જોવા મળી છે. શેર 4.84%ના ઉછાળા સાથે રૂ. 100 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાલો સમજીએ કે બેન્ક કેટલો નફો કર્યો છે અને શું તેના કારણે શેરમાં વધુ વધારો થશે.

1 / 6
પંજાબ નેશનલ બેંક (PNB) એ સોમવારે સપ્ટેમ્બર 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. બેન્ક આ ત્રિમાસિક ગાળામાં જંગી નફો કર્યો છે, જેના કારણે તેનો ચોખ્ખો નફો વધીને ₹4,303.5 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં ₹1,756 કરોડથી 145% ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. PNB ની વ્યાજની કમાણી (NII) અને ચૂકવેલ વ્યાજ વચ્ચેનું અંતર FY25 ના Q2 માં ₹9,923 કરોડથી 6% વધીને ₹10,517 કરોડ થયું.

પંજાબ નેશનલ બેંક (PNB) એ સોમવારે સપ્ટેમ્બર 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. બેન્ક આ ત્રિમાસિક ગાળામાં જંગી નફો કર્યો છે, જેના કારણે તેનો ચોખ્ખો નફો વધીને ₹4,303.5 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં ₹1,756 કરોડથી 145% ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. PNB ની વ્યાજની કમાણી (NII) અને ચૂકવેલ વ્યાજ વચ્ચેનું અંતર FY25 ના Q2 માં ₹9,923 કરોડથી 6% વધીને ₹10,517 કરોડ થયું.

2 / 6
2:30 વાગ્યે Q2 પરિણામોની જાહેરાત પછી PNB શેરની કિંમત 5% થી વધુ ઉછળી હતી, PNB શેરની કિંમત BSE પર ₹100.35 પ્રતિ શેર પર 4.84% વધી હતી.

2:30 વાગ્યે Q2 પરિણામોની જાહેરાત પછી PNB શેરની કિંમત 5% થી વધુ ઉછળી હતી, PNB શેરની કિંમત BSE પર ₹100.35 પ્રતિ શેર પર 4.84% વધી હતી.

3 / 6
આ બેંકિંગ શેરના નફાએ બજારનો ટ્રેન્ડ બદલી નાખ્યો- દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે માહિતી આપી છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં તેના નફામાં જબરદસ્ત વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન બેંકના નફામાં વાર્ષિક ધોરણે 14.5 ટકાનો વધારો થયો છે. ICICI બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 14.5 ટકા વધીને 11,746 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બેંકનો નફો 10,261 કરોડ રૂપિયા હતો. કંપનીના સારા ત્રિમાસિક પરિણામોથી આજે શેરબજારમાં તેજી આવી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં રોકેટ ગતિ જોવા મળી છે. નિષ્ણાંતોનું માનવું છે કે બેન્કિંગ કંપનીઓના સારા પરિણામો શેરોમાં ફરી તેજી લાવી શકે છે.

આ બેંકિંગ શેરના નફાએ બજારનો ટ્રેન્ડ બદલી નાખ્યો- દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે માહિતી આપી છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં તેના નફામાં જબરદસ્ત વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન બેંકના નફામાં વાર્ષિક ધોરણે 14.5 ટકાનો વધારો થયો છે. ICICI બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 14.5 ટકા વધીને 11,746 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બેંકનો નફો 10,261 કરોડ રૂપિયા હતો. કંપનીના સારા ત્રિમાસિક પરિણામોથી આજે શેરબજારમાં તેજી આવી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં રોકેટ ગતિ જોવા મળી છે. નિષ્ણાંતોનું માનવું છે કે બેન્કિંગ કંપનીઓના સારા પરિણામો શેરોમાં ફરી તેજી લાવી શકે છે.

4 / 6
શેર આજે 3 ટકા ઉછળ્યો હતો- બેંકે શનિવારે આ અંગે શેરબજારને જાણ કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં તેની કુલ આવક વધીને રૂ. 47,714 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 40,697 કરોડ હતી. એકલા વ્યાજમાંથી બેંકની આવક વધીને રૂ. 40,537 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 34,920 કરોડ હતી.

શેર આજે 3 ટકા ઉછળ્યો હતો- બેંકે શનિવારે આ અંગે શેરબજારને જાણ કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં તેની કુલ આવક વધીને રૂ. 47,714 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 40,697 કરોડ હતી. એકલા વ્યાજમાંથી બેંકની આવક વધીને રૂ. 40,537 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 34,920 કરોડ હતી.

5 / 6
બેંકમાંથી વ્યાજની ચોખ્ખી આવક 9.5 ટકા વધીને રૂ. 20,048 કરોડ થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 18,308 કરોડ હતો. આજે જ્યારે સોમવારે બજાર ખુલ્યું ત્યારે કંપનીના શેરમાં 3.19%નો વધારો થયો હતો. શેર 40 પોઈન્ટ ઉછળીને 1,295 પર પહોંચ્યો હતો.

બેંકમાંથી વ્યાજની ચોખ્ખી આવક 9.5 ટકા વધીને રૂ. 20,048 કરોડ થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 18,308 કરોડ હતો. આજે જ્યારે સોમવારે બજાર ખુલ્યું ત્યારે કંપનીના શેરમાં 3.19%નો વધારો થયો હતો. શેર 40 પોઈન્ટ ઉછળીને 1,295 પર પહોંચ્યો હતો.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Photo Gallery