
બેટિંગમાં અનુભવી ખેલાડીઓ વિનાની ટીમ સાથે ભારત ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે મેદાને ઉતર્યુ હતુ. બુમરાહને ટીમ મેનેજમેન્ટે આરામ આપવો પડ્યો હતો.પેસ એટેકમાં પણ બે બોલર ઓછો અનુભવ ધરાવતા હતા. આવી સ્થિતિમાં પડકારો વચ્ચે સુકાની રોહિત શર્માએ ટીમને સિરીઝમાં જ્વલંત વિજય અપાવ્યો છે.

સિરીઝની અંતિમ ટેસ્ટ મેચના પરિણામ બાદ સુકાની રોહિત શર્માએ જતિન સપ્રુ સાથે વાતચીત કરવા દરમિયાન બતાવ્યુ હતુ કે, તે સંન્યાસ માટે કેવી પરિસ્થિતિ પસંદ કરશે. રોહિતે બતાવ્યુ કે, જે એક દિવસ હું જાગીશ અને મને એમ અહેસાસ થશે કે, હું સારુ નથી કરી રહ્યો તો તરત જ સંન્યાસ લઈ લઈશ. જોકે હું હાલમાં જીવનમાં સૌથી શ્રેષ્ઠ ક્રિકેટ હાલમાં રમી રહ્યો છું.

રોહિત શર્મા 59 ટેસ્ટ મેચ અત્યાર સુધીમાં રમી ચુક્યો છે. જેમાં તેણે 1 બેવડી, 12 સદી અને 17 અડધી સદી નોંધાવી છે. હિટમેને ટેસ્ટ ક્રિકેટમાં 212 રનની શ્રેષ્ઠ વ્યક્તિગત ઈનીંગ રમી છે.
Published On - 4:59 pm, Sat, 9 March 24