
ગુજરાતી સાહિત્યના પુસ્તકોના વિવિધ 40 જેટલા પુસ્તકોના ક્યુ આર કોડ ત્યાં લગાવવામાં આવ્યા છે જેથી કરીને મુલાકાતિઓ ક્યુ આર કોડ સ્કેન કરીને પોતાના મોબાઈલમાં જ પુસ્તક વાંચી શકે છે

જો હાર્ડ કોપીમાં પુસ્તક રાખવામાં આવે તો તેનુ મોનિટરિંગ કરવું શક્ય બનતું નથી. જેથી આજના ડિજિટલ યુગમાં ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરીને સરળ સોલ્યુશન અપનાવવામાં આવ્યું છે. આવતા જતા મુલાકાતીઓ તે વાંચનનો સારો લેખ જોઈ તેમાંથી પ્રેરણા લે અને વાંચનનો શોખ પણ કેળવાય એવા પ્રયત્નો રૂપે આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ભગીરથ પરમારે જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મુલાકાતઓ જે તે અધિકારીઓને મળવા માટે આવતા હોય છે તેમના સમયમાં સદુપયોગ થાય એ માટે તરતું પુસ્તકાલય પ્રયોગ અંતર્ગત ક્યુ આર કોડ મૂકવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર વધે એ માટે સારા સારા પુસ્તકો મારી હકીકત મળેલા જીવ શૂન્ય માંથી સર્જન ગુજરાતની લોક સંસ્કૃતિ ગુજરાતનો ઈતિહાસ વગેરે જેવા વિવિધ પુસ્તકો મૂકવામાં આવ્યા છે