અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો આજે એટલે કે 29 જાન્યુઆરીએ રજૂ કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોમાં કંપનીનો ચોખ્ખો નફો 7.4 ટકા વધીને 2940 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરનો નફો 2738 કરોડ રૂપિયા હતો.
કંપનીની રેવન્યુ 13,671 કરોડ રૂપિયા રહ્યો છે. જે અગાઉના વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં નોધાયેલા 12,991 કરોડ રૂપિયા કરતાં 5 ટકા વધારે છે. અદાણી પાવરના શેર આજે 5 ટકા વધીને 522 રૂપિયા પર બંધ થયા હતા.
કંપનીએ એક અથવા વધુ તબક્કામાં લાયક સંસ્થાઓ પાસેથી પ્લેસમેન્ટ દ્વારા 5000 કરોડ રૂપિયા સુધીનું ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. ટેક્સ પછીનો નફો (PAT) નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં રૂ. 3,298 કરોડની સરખામણીમાં ક્રમશ 11 ટકા ઓછો હતો.
નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરે રૂ. 10,775 કરોડ ખર્ચ્યા છે. આ ખર્ચ ઇંધણ, ટ્રાન્સમિશન ચાર્જ, નાણાકીય ખર્ચ અને કર્મચારી લાભ ખર્ચ સહિત મુખ્ય મુદ્દાઓ હેઠળ કરવામાં આવ્યો હતો.
અદાણી પાવરનું માર્કેટ કેપ 2,01,467 કરોડ રૂપિયા છે. કંપનીના શેર એક મહિનામાં 3 ટકા ઘટ્યા છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં આ શેરે 800 ટકા સુધીનું વળતર આપ્યું છે.