પાણી પીધા પછી પણ વારંવાર તરસ લાગે છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીઓના હોઈ શકે છે સંકેત

પાણી પીવા છતાં ગળું સુકાવું અને વારંવાર તરસ લાગવી એ માત્ર ડિહાઇડ્રેશન નહીં પરંતુ ડાયાબિટીસ, કિડની કે હોર્મોનલ સમસ્યાના સંકેત હોઈ શકે છે. જાણો આ સ્થિતિમાં ક્યારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

| Updated on: Aug 18, 2026 | 6:28 PM
1 / 7
પાણી પીધા પછી તરત જ ગળું સુકાતું અનુભવાય અને વારંવાર તરસ લાગ્યા કરે, તો તેને સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરવી યોગ્ય નથી. તબીબોના જણાવ્યા અનુસાર, આ લક્ષણ ભલે પોતે કોઈ સ્વતંત્ર બીમારી ન હોય, પરંતુ તે શરીરમાં ચાલી રહેલી કોઈ આંતરિક સમસ્યા તરફ ચોક્કસ ઈશારો કરે છે.

પાણી પીધા પછી તરત જ ગળું સુકાતું અનુભવાય અને વારંવાર તરસ લાગ્યા કરે, તો તેને સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરવી યોગ્ય નથી. તબીબોના જણાવ્યા અનુસાર, આ લક્ષણ ભલે પોતે કોઈ સ્વતંત્ર બીમારી ન હોય, પરંતુ તે શરીરમાં ચાલી રહેલી કોઈ આંતરિક સમસ્યા તરફ ચોક્કસ ઈશારો કરે છે.

2 / 7
મોટાભાગના કિસ્સાઓમાં વારંવાર તરસ લાગવાનું સામાન્ય કારણ ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) હોય છે. વધુ શારીરિક મહેનત કરવાથી, ખૂબ પરસેવો થવાથી, તીવ્ર તડકામાં રહેવાથી કે વધુ મીઠાવાળા ખોરાકનું સેવન કરવાથી શરીરમાં પાણી ઘટી જાય છે. આ ઉપરાંત કેફીન (ચા-કોફી) અને આલ્કોહોલનું વધુ પડતું સેવન પણ શરીરમાંથી પાણી ઓછું કરે છે, જેનાથી આ તકલીફ વધી શકે છે.

મોટાભાગના કિસ્સાઓમાં વારંવાર તરસ લાગવાનું સામાન્ય કારણ ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) હોય છે. વધુ શારીરિક મહેનત કરવાથી, ખૂબ પરસેવો થવાથી, તીવ્ર તડકામાં રહેવાથી કે વધુ મીઠાવાળા ખોરાકનું સેવન કરવાથી શરીરમાં પાણી ઘટી જાય છે. આ ઉપરાંત કેફીન (ચા-કોફી) અને આલ્કોહોલનું વધુ પડતું સેવન પણ શરીરમાંથી પાણી ઓછું કરે છે, જેનાથી આ તકલીફ વધી શકે છે.

3 / 7
ડાયાબિટીસનો પણ હોઈ શકે છે સંકેત: નિષ્ણાતોના મતે, અસામાન્ય અને વારંવાર તરસ લાગવી એ ડાયાબિટીસનું પ્રાથમિક લક્ષણ હોઈ શકે છે. જ્યારે શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે, ત્યારે શરીર પેશાબ વાટે વધારાનું ગ્લુકોઝ બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયામાં શરીરમાંથી પાણી પણ મોટા પ્રમાણમાં બહાર નીકળી જાય છે, જેના પરિણામે દર્દીને વારંવાર તરસ લાગે છે.

ડાયાબિટીસનો પણ હોઈ શકે છે સંકેત: નિષ્ણાતોના મતે, અસામાન્ય અને વારંવાર તરસ લાગવી એ ડાયાબિટીસનું પ્રાથમિક લક્ષણ હોઈ શકે છે. જ્યારે શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે, ત્યારે શરીર પેશાબ વાટે વધારાનું ગ્લુકોઝ બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયામાં શરીરમાંથી પાણી પણ મોટા પ્રમાણમાં બહાર નીકળી જાય છે, જેના પરિણામે દર્દીને વારંવાર તરસ લાગે છે.

4 / 7
કિડનીની બીમારીમાં પણ બગડે છે પાણીનું સંતુલન: કિડની શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. જો કિડની યોગ્ય રીતે કાર્ય ન કરતી હોય, તો આ સંતુલન ખોરવાઈ જાય છે, જેનાથી વારંવાર તરસ લાગવાની સમસ્યા થઈ શકે છે. આથી, આ લક્ષણ કિડની સંબંધિત તકલીફ તરફ પણ ઈશારો કરતું હોઈ શકે છે.

કિડનીની બીમારીમાં પણ બગડે છે પાણીનું સંતુલન: કિડની શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. જો કિડની યોગ્ય રીતે કાર્ય ન કરતી હોય, તો આ સંતુલન ખોરવાઈ જાય છે, જેનાથી વારંવાર તરસ લાગવાની સમસ્યા થઈ શકે છે. આથી, આ લક્ષણ કિડની સંબંધિત તકલીફ તરફ પણ ઈશારો કરતું હોઈ શકે છે.

5 / 7
ડાયાબિટીસ ઇન્સિપિડસ પણ છે એક કારણ: ડાયાબિટીસ ઇન્સિપિડસ એક એવી સ્થિતિ છે, જેમાં શરીરમાં એક ખાસ હોર્મોનની ખામી સર્જાય છે. આના કારણે અતિશય તરસ લાગવાની સાથે વારંવાર પેશાબ જવું પડે છે. આ ડાયાબિટીસ મેલીટસ (સામાન્ય શુગર) કરતાં તદ્દન અલગ સ્થિતિ છે, પરંતુ તેના લક્ષણો ઘણા અંશે મળતા આવે છે.

ડાયાબિટીસ ઇન્સિપિડસ પણ છે એક કારણ: ડાયાબિટીસ ઇન્સિપિડસ એક એવી સ્થિતિ છે, જેમાં શરીરમાં એક ખાસ હોર્મોનની ખામી સર્જાય છે. આના કારણે અતિશય તરસ લાગવાની સાથે વારંવાર પેશાબ જવું પડે છે. આ ડાયાબિટીસ મેલીટસ (સામાન્ય શુગર) કરતાં તદ્દન અલગ સ્થિતિ છે, પરંતુ તેના લક્ષણો ઘણા અંશે મળતા આવે છે.

6 / 7
મોઢું સુકાવું (ડ્રાય માઉથ): ઘણી વખત મોઢામાં પૂરતી લાળ (Saliva) ન બનવાના કારણે પણ વારંવાર તરસનો અહેસાસ થાય છે, જેને ‘ડ્રાય માઉથ’ કહેવામાં આવે છે. તેમાં મોઢું, ગળું અને જીભ સુકાઈ જાય છે તેમજ હોઠ ફાટવા લાગે છે. કેટલીક ચોક્કસ દવાઓની આડઅસર (સાઇડ ઇફેક્ટ) ના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

મોઢું સુકાવું (ડ્રાય માઉથ): ઘણી વખત મોઢામાં પૂરતી લાળ (Saliva) ન બનવાના કારણે પણ વારંવાર તરસનો અહેસાસ થાય છે, જેને ‘ડ્રાય માઉથ’ કહેવામાં આવે છે. તેમાં મોઢું, ગળું અને જીભ સુકાઈ જાય છે તેમજ હોઠ ફાટવા લાગે છે. કેટલીક ચોક્કસ દવાઓની આડઅસર (સાઇડ ઇફેક્ટ) ના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

7 / 7
ક્યારે લેવી જોઈએ ડોક્ટરની સલાહ? જો આ લક્ષણ લાંબા સમય સુધી સતત ચાલુ રહે, ખાસ કરીને જેમને પહેલાથી જ ડાયાબિટીસ, કિડની કે હોર્મોન સંબંધિત કોઈ બીમારી હોય, તો તેમણે તેને સહેજ પણ હળવાશથી ન લેવું જોઈએ. બાળકો અને વૃદ્ધોમાં આ લક્ષણ વધુ ગંભીર સાબિત થઈ શકે છે, તેથી સમયસર તપાસ કરાવી યોગ્ય તબીબી સારવાર લેવી ખૂબ જરૂરી છે.

ક્યારે લેવી જોઈએ ડોક્ટરની સલાહ? જો આ લક્ષણ લાંબા સમય સુધી સતત ચાલુ રહે, ખાસ કરીને જેમને પહેલાથી જ ડાયાબિટીસ, કિડની કે હોર્મોન સંબંધિત કોઈ બીમારી હોય, તો તેમણે તેને સહેજ પણ હળવાશથી ન લેવું જોઈએ. બાળકો અને વૃદ્ધોમાં આ લક્ષણ વધુ ગંભીર સાબિત થઈ શકે છે, તેથી સમયસર તપાસ કરાવી યોગ્ય તબીબી સારવાર લેવી ખૂબ જરૂરી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.