
પેરિસમાં ભારતનો ત્રિરંગો લહેરાવ્યા બાદ 23 વર્ષીય પેરા એથ્લીટે હાલમાં એક ઈન્ટરવ્યુ આપ્યું હતુ. તેમાં ખુલીને વાતો કરી હતી. તેમણે કહ્યું લોકોને લાગે છે કે, તે જીવનમાં કાંઈ કરી શકશે નહિ. પરંતુ તેમણે હાર માની નહિ અને પોતાના ઉત્સાહને જાળવી રાખ્યો હતો.

ગોલ્ડ મેડાલિસ્ટે કહ્યું તમને લાગે છે હિંમત અને એક જનુન ક્યાંથી આવે છે, જ્યારે લોકો બોલે છે કે, તું કાંઈ કરી શકીશ નહિ. આનાથી સારું છે તું આત્મહત્યા કરી, અહિથી હિંમત આવે છે.

નવદીપ પોતાના પિતાને ખુબ યાદ કરે છે. તેમણે કહ્યું કે, રમત માટે તેના પિતાએ જ તેમને પ્રોત્સાહિત કર્યો હતો. નવદીપ સિંહનો જન્મ 11 નવેમ્બર 2000ના રોજ હરિયાણામાં થયો છે. જે એક ભારતીય પેરા-એથ્લેટ છે. તેણે 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા પણ રહ્યો છે.

નવદીપ સિંહનો જન્મ સૈની પરિવારમાં થયો હતો અને તે પાણીપત હરિયાણાનો વતની છે. તેના પિતા ગામમાં ખેડૂત હતા અને શહેરમાં દૂધની ડેરી પણ ચલાવતા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીની શ્રી વેંકટેશ્વર કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

2017માં નવદીપે એશિયન યુથ પેરા ગેમ્સ, દુબઈ ખાતે પુરુષોની જેવેલિન F41 ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. દુબઈમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2021માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.
Published On - 1:50 pm, Mon, 11 November 24