
હવે તે 14 વર્ષ બાદ ભારત આવી રહ્યો છે. મેસ્સી 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે તેમના ભારત પ્રવાસની સંપૂર્ણ વિગતો અને ટૂંકો પરિચય સત્તાવાર પોસ્ટર સાથે જાહેર કરશે.

તે આર્જેન્ટિના માટે ફિફા ફ્રેન્ડલી મેચમાં પણ ભાગ લેશે. 6 જૂનના રોજ, કેરળના રમતગમત મંત્રીએ પુષ્ટિ આપી હતી કે લિયોનેલ મેસ્સીના નેતૃત્વ હેઠળની આર્જેન્ટિના ફૂટબોલ ટીમ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં એક ઈકોફ્રેન્ડલી મેચ રમવા માટે કેરળની મુલાકાત લેશે.

આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. કેરળ સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે.અહેવાલો અનુસાર, મેસ્સી રોહિત શર્મા અને વિરાટ કોહલી આ 2 દિગ્ગજો સાથે ક્રિકેટ મેચ રમશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાશે.
Published On - 1:05 pm, Fri, 29 August 25