Insomnia : રાત્રે ઊંઘ નથી આવતી? આ 5 આદતો હોઈ શકે છે જવાબદાર, જાણો શું કહે છે નિષ્ણાત !

ઘણા લોકો જ્યારે સૂવા જાય છે ત્યારે તેમને ઊંઘ આવતી નથી. કેટલાક લોકો તો ઊંઘ માટે ગોળીઓનો સહારો લે છે. જે આરોગ્ય માટે યોગ્ય નથી. નિષ્ણાતોના મતે, સારી ઊંઘ ન આવવાના પાછળ તમારી કેટલીક દૈનિક ખરાબ આદતો જવાબદાર હોઈ શકે છે.

| Updated on: Jun 30, 2026 | 12:07 PM
1 / 6
દિમાગને થકાવવું : જો તમે સૂતાં પહેલાં મોબાઇલ સ્ક્રોલ કરો છો અથવા વેબ સિરીઝ જુઓ છો તો ઊંઘ પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી સૂવા જતાં એક કલાક પહેલાં મોબાઇલ વાપરવાનું બંધ કરવું જોઈએ. (Image Source : iStock)

દિમાગને થકાવવું : જો તમે સૂતાં પહેલાં મોબાઇલ સ્ક્રોલ કરો છો અથવા વેબ સિરીઝ જુઓ છો તો ઊંઘ પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી સૂવા જતાં એક કલાક પહેલાં મોબાઇલ વાપરવાનું બંધ કરવું જોઈએ. (Image Source : iStock)

2 / 6
કેફીન અથવા ચા-કોફીનો વધુ ઉપયોગ: સાંજ પછી ચા, કોફી અથવા એનર્જી ડ્રિન્ક્સ પીવાથી શરીર જાગૃત રહે છે અને ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે. તેથી સૂવા પહેલાં આવા પીણાં ટાળવા જોઈએ. (Image Source : iStock)

કેફીન અથવા ચા-કોફીનો વધુ ઉપયોગ: સાંજ પછી ચા, કોફી અથવા એનર્જી ડ્રિન્ક્સ પીવાથી શરીર જાગૃત રહે છે અને ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે. તેથી સૂવા પહેલાં આવા પીણાં ટાળવા જોઈએ. (Image Source : iStock)

3 / 6
મોડી રાત સુધી કામ કરવું: ઘણા લોકો મોડી રાત સુધી કામ કરે છે. પરંતુ તે તમારી ઊંઘ પર નકારાત્મક અસર કરે છે. મોડી રાત સુધી કામ કરવાથી તમારા સર્કેડિયન રિધમમાં (શરીરમાં ચાલતી કુદરતી, આંતરિક 24-કલાકની ઘડિયાળ) ખલેલ પહોંચી શકે  છે. આ ઊંઘના હોર્મોન્સનું સ્તર ઘટાડે છે. જેના કારણે અનિદ્રા અને થાક જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. (Image Source : iStock)

મોડી રાત સુધી કામ કરવું: ઘણા લોકો મોડી રાત સુધી કામ કરે છે. પરંતુ તે તમારી ઊંઘ પર નકારાત્મક અસર કરે છે. મોડી રાત સુધી કામ કરવાથી તમારા સર્કેડિયન રિધમમાં (શરીરમાં ચાલતી કુદરતી, આંતરિક 24-કલાકની ઘડિયાળ) ખલેલ પહોંચી શકે છે. આ ઊંઘના હોર્મોન્સનું સ્તર ઘટાડે છે. જેના કારણે અનિદ્રા અને થાક જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. (Image Source : iStock)

4 / 6
ગુસ્સામાં કે તણાવમાં સૂવાથી: તણાવ, ચિંતા કે ગુસ્સામાં સૂવા જવાથી ઊંઘ આવતી નથી. કારણ કે આ સ્થિતિમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન હોર્મોન વધે છે. જે મગજને સક્રિય રાખે છે. (Image Source : iStock)

ગુસ્સામાં કે તણાવમાં સૂવાથી: તણાવ, ચિંતા કે ગુસ્સામાં સૂવા જવાથી ઊંઘ આવતી નથી. કારણ કે આ સ્થિતિમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન હોર્મોન વધે છે. જે મગજને સક્રિય રાખે છે. (Image Source : iStock)

5 / 6
ભારે ભોજન : રાત્રે ભારે ભોજન ખાવાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. ભારે, તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાવાથી તે પચવામાં મુશ્કેલી પડી શકે છે. જેના કારણે ઊંઘ આવવામાં વિલંબ થઈ શકે છે. તેથી હંમેશા હળવું અને વહેલું રાત્રિભોજન કરવું જોઈએ. (Image Source : iStock)

ભારે ભોજન : રાત્રે ભારે ભોજન ખાવાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. ભારે, તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાવાથી તે પચવામાં મુશ્કેલી પડી શકે છે. જેના કારણે ઊંઘ આવવામાં વિલંબ થઈ શકે છે. તેથી હંમેશા હળવું અને વહેલું રાત્રિભોજન કરવું જોઈએ. (Image Source : iStock)

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)

Follow Us