
પુલની પહોળાઈ 27.20 મીટર ચાર માર્ગીય તૈયાર કરવામાં આવેલ છે. જેમાં બંને તરફ 2.50 મીટર પહોળો ફુટપાથ રાખવામાં આવ્યો છે.

ફુટપાથ ઉપર સોલાર પેનલથી 1 મેગાવોટ વિજળીનુ ઉત્પાદન થશે. જેનાથી બ્રિજ ઉપરની સ્ટ્રીટલાઈટ જરૂરીયાત પુરી પાડવામાં આવે છે

બ્રિજ 44 પીલરો તૈયાર કરવામાં આવેલ છે. જેને તૈયાર કરતા અંદાજીત ત્રણ વર્ષનો સમય લાગેલ છે.

બ્રિજમાં કુલ 150,000 કુબીક મીટર કોન્ક્રીટ અને 26500 ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવેલ છે.

થોડા દિવસોમાં જ આ પીએમ મોદી દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે. બ્રિજ અવરજવર માટે ખુલ્લો મુકાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સિગ્નેચર બ્રિજના કારણે દરીયા પાર કરીને વાહનથી લોકો બેટ-દ્રારકા અવર-જવર કરી શકશે.

બ્રિજના કુલ 12 લોકેશન પર વ્યુ ગેલેરીનુ રાખવામાં આવી છે.

સિગ્રનેચર બ્રિજ કુલ 468 કોન્ક્રીટ સેગ્મેન્ટ એપ્રોચ બ્રિજમાં અને 77 સ્ટીલ સેગ્મેન્ટ મેઈન બ્રિજમાં તૈયાર કરવામાં આવેલ છે. આ સેગ્મેન્ટસની ડીઝાઈન તૈયાર કરવાથી લઈને સ્થળ પર ઈરેકશન સુધીની કામગીરી લઈ સ્થળ પર વિવિધ કામગીરી માટે તાંત્રિક ઈજનેરો અને મજુરો અંદાજીત 450 લોકો દ્રારા કરવામાં આવેલ છે.
Published On - 9:18 pm, Thu, 8 February 24