
ઓગસ્ટ 1918 દરમ્યાન, સાંઈ બાબાએ તેમના ભક્તોને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પોતાના નશ્વર શરીર છોડીને જશે. સપ્ટેમ્બર મહિના આખરે તેમને ખૂબ તાવ આવ્યો અને તેમણે ખાવાનું બંધ કરી દીધું. આ શારીરિક દુર્બળતા વચ્ચે પણ, તેમણે પોતાના અનુયાયીઓને પવિત્ર ગ્રંથોના પઠન માટે પ્રોત્સાહિત કર્યાં અને તેમ છતાં તેઓ ભક્તોની મુલાકાત લેતા રહ્યાં. અંતે,15 ઓક્ટોબર 1918ના રોજ, વિજયાદશમીના પાવન દિવસે, સાંઈ બાબાએ તેમનો ભૌતિક દેહ ત્યજી મહાસમાધિ ગ્રહણ કરી. (Credits: - Wikipedia)

આમ, પૃથ્વી પર તેમનો અવતાર સમાપ્ત થયો.તેમના અવશેષોને શિરડીના બુટી વાડામાં દફનાવવામાં આવ્યા, જ્યાં પછીથી મંદિર બનાવાયું જે આજે “શિરડી સાંઈ બાબા મંદિર ” તરીકે જાણીતું એક પવિત્ર તીર્થસ્થળ છે. (Credits: - Wikipedia)

શિરડીના સાંઈ બાબા એક જાણિતાં ભારતીય આધ્યાત્મિક ગુરુ હતા, જેમને સંત માનવામાં આવતા હતા અને જેમને હિંદુ તેમજ મુસ્લિમ બંને ધર્મના અનુયાયીઓએ જીવનકાળ દરમિયાન તેમજ અવસાન પછી પણ શ્રદ્ધાપૂર્વક પૂજ્યા હતા. સાંઈ બાબાનું નામ, કાર્યક્ષેત્ર અને શિરડી ગામ સાથેનો તેમનો સંબંધ ઘણો મહત્વપૂર્ણ છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)