
શ્રાવણ એ હિન્દુ કેલેન્ડરનો પાંચમો મહિનો છે, જે શિવ પૂજા માટે સમર્પિત છે. આ વર્ષે શ્રાવણ 25 જુલાઈ ચાલુ થઈ રહ્યો છે. શ્રાવણમાં દરરોજ શિવની પૂજા કરવી શુભ છે. પરંતુ શ્રાવણ સોમવાર વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ છે.

શ્રાવણના સોમવારે, શિવભક્તો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ઉપવાસ રાખે છે, જેથી શિવના આશીર્વાદ મેળવી શકાય. પરંતુ જો અજાણતાં ઉપવાસ તૂટી જાય તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ?

જો ભૂલથી ઉપવાસ તૂટી જાય તો મનમાં અનેક શંકાઓ અને પ્રશ્નો ઉદ્ભવે છે. પરંતુ જાણી જોઈને કે અજાણતાં કરેલી ભૂલો માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે. જેથી તમે દોષોથી મુક્ત રહી શકો. ઉપરાંત આ ઉપાયો કર્યા પછી, તમારા ઉપવાસનું પુણ્ય વ્યર્થ નહીં જાય.

ક્ષમા - જો પૂજા દરમિયાન જાણી જોઈને કે અજાણતાં કોઈ ભૂલ થઈ જાય અથવા ભૂલથી ઉપવાસ તૂટી જાય, તો સૌ પ્રથમ આપણે ભગવાનની માફી માંગવી જોઈએ. જો તમે અજાણતાં હાથ જોડીને કરેલી ભૂલ માટે માફી માગો છો તો ભગવાન માફ કરે છે.

ઉપવાસનો સંકલ્પ લો - જો શ્રાવણ સોમવારનો ઉપવાસ પહેલા પ્રહરમાં તૂટી જાય તો ફરીથી ઉપવાસ કરવાનો સંકલ્પ લઈને, તમે તે જ દિવસે અથવા બીજા દિવસે ઉપવાસ પૂર્ણ કરી શકો છો. આવા ઉપવાસને શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત વ્રત કહેવામાં આવ્યું છે.

મંત્રોચ્ચાર કરો - શિવપુરાણમાં ઉલ્લેખ છે કે જો શ્રાવણ સોમવારનું વ્રત ભૂલથી તૂટી જાય તો શક્ય તેટલું મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેઓ ભૂલોને માફ કરે છે અને દોષો દૂર કરે છે.

દાન કરો - જો ભૂલથી ઉપવાસ તૂટી જાય તો તમારી ક્ષમતા મુજબ ગરીબ કે જરૂરિયાતમંદોને દાન કરો. તમે મંદિરમાં પણ દાન કરી શકો છો. માનસિક શાંતિ મેળવવા અને પાપોનું પ્રાયશ્ચિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ, દાન માનવામાં આવે છે.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)