સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવ દાદાને કરાયો ફુલોનો દિવ્ય શણગાર, જુઓ મનમોહન તસવીરો
સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવારના રોજ ધરાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ભક્તોએ શણગાર આરતી સાથે દિવ્ય વાઘાનો શણગારના દર્શનનો લાભ લીધો હતો.
પૂજન -અર્ચન-અભિષેક બાદ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા 6:45 કલાકે રાજોપચાર પૂજનની મહાઆરતી કરવામાં આવી હતી સાથો સાથ યજમાનશ્રીને રૂડા આશીર્વાદ આપ્યા હતા.
5 / 5
મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.દાદાના ભક્તોએ આ અનેરા દર્શનનૉ પ્રત્યક્ષ તેમજ દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભક્તજનોએ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.