
ચોમાસાની ઋતુ હજુ ગઈ નથી, ગમે ત્યારે વરસાદ આવી જાય છે. તેનાથી ક્યાંક પાણી ભરાઈ જાય છે, તો ક્યાંક જામ થઈ જાય છે. એવામાં સૌથી મોટી મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે સતત વરસાદ પડે છે અને છત પર શેવાળ (લીલ) જામી જાય છે. આ બધા વચ્ચે તમે કે બાળકો છત પર રમો છો, તો લપસીને ઈજા થવાનો ડર રહે છે. હવે સવાલ એ છે કે, મિનિટોમાં છત પરથી 'લીલ' કેવી રીતે હટાવવી?

તમે રોજ સાવરણીથી છત પરથી 'લીલ' દૂર કરો છો અને તે ફરીથી છત પર જામી જાય છે. જો કે, હવે પરેશાન ન થાઓ. આ દેશી નુસ્ખાથી આખી છતની 'લીલ' ગાયબ થઈ જશે. વાત એમ છે કે, રસોડામાં રાખેલો આ સફેદ પાવડર મિનિટોમાં જ બધી લીલ હટાવી દેશે અને છત બિલકુલ નવી જેવી લાગશે. આ ખૂબ જ અસરકારક પાવડર છે, જે તમારી લીલની સમસ્યાને મિનિટોમાં દૂર કરી દેશે.

ઘરની છત પરથી લીલ હટાવવાનો આ નુસ્ખો હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેમાં એક સફેદ પાવડરથી તમે લીલ હટાવી શકો છો. જણાવી દઈએ કે, આ સફેદ પાવડરને 'ચૂનો' કહેવાય છે. જો તમે 'ચૂનો' નથી જાણતા તો તમને જણાવી દઈએ કે, તેને ભીંજવેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે. બજારમાં તમને આ ચૂનો કરિયાણાની દુકાને સરળતાથી મળી જશે.

તમે ચુનાને તમારી જરૂરિયાત મુજબ ખરીદી શકો છો. તમે 5 રૂપિયાનો ચૂનો લઈને 'લીલ' હટાવી શકો છો. 'લીલ' એક એસિડિક વાતાવરણમાં થાય છે અને ચૂનાનો પાવડર એલ્કલાઇન છે. એવામાં જ્યારે 'લીલ' પર ચૂનો નાખવામાં આવે છે, ત્યારે તે તેના બધા જ કોષોને સળગાવી દે છે અને તેને ફેલાતા રોકે છે.

ચૂનો 'લીલ' પર એક લેયર (પડ) બનાવે છે, જે ભેજને રોકે છે. આ કારણે ફરીથી લીલ થતી નથી. આ જ કારણ છે કે, સફેદ ચૂનાનો પાવડર માત્ર 'લીલ' ને મૂળમાંથી હટાવતો જ નથી પરંતુ તેને ફરીથી થવા પણ નથી દેતો.

તમે જ્યારે લીલ હટાવો ત્યારે આંખો પર ચશ્મા અને હાથમાં ગ્લોવ્ઝ પહેરી લો. ધ્યાન રાખો કે, 'ચૂનો' ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આ ચુનાચૂનાને બાળકો અને પાલતુ પ્રાણીઓથી દૂર રાખો. ચૂનાને આખી છત પર છાંટી દો અને પછી બ્રશની મદદથી ઘસવાનું શરૂ કરો. ત્યારબાદ થોડી જ વારમાં બધી લીલ નીકળી જશે અને છત બિલકુલ નવી જેવી લાગશે.

તમે ચૂના સિવાય સફેદ સરકો (વિનેગર) અને બેકિંગ સોડાનું દ્રાવણ બનાવીને પણ લીલ હટાવી શકો છો. આ સિવાય બ્લીચનું દ્રાવણ અને હાર્ડવેર સ્ટોર પર મળતી પ્રોડક્ટ 'એલ્ગી રિમૂવર' લાવીને પણ લીલ હટાવી શકો છો.