
વીરભદ્રાસન: રોજ વીરભદ્રાસનનો અભ્યાસ કરવાથી કમર અને સાથળ પર જમા થયેલી ચરબી ઓછી થાય છે. વીરભદ્રાસન ચરબી ઓછી કરવામાં મદદ કરે છે તેમજ પગ, હિપ્સ અને ખભાના સ્નાયુઓને મજબૂત બનાવે છે. આ સાથે આ આસન તમારા બેલેન્સ અને ધ્યાનને સુધારે છે. વીરભદ્રાસનનો અભ્યાસ કરવા માટે સીધા ઊભા રહો અને તમારા પગને થોડા અંતરે રાખો, જમણા પગને 90 ડિગ્રી અને ડાબા પગને થોડો અંદરની તરફ ફેરવો. આ સાથે, તમારા હાથને ખભાની ઊંચાઈ સુધી ઉંચા કરો, હથેળીઓ નીચે તરફ રાખો અને તમારા જમણા ઘૂંટણને વાળો અને તમારા ડાબા પગને સીધો રાખો. આ આસનનો 5-10 વખત અભ્યાસ કરો.

સેતુબંધાસન: બ્રિજ પોઝ કમર અને સાથળની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને કરોડરજ્જુને મજબૂત અને ફ્લેક્સિબલ બનાવે છે. આ સાથે બ્રિજ પોઝ પાચનતંત્રમાં સુધારો કરે છે અને કબજિયાતની સમસ્યા ઘટાડે છે. બ્રિજ પોઝનો અભ્યાસ કરવા માટે પહેલા તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારા ઘૂંટણને વાળો. હવે તમારા પગને જમીન પર રાખો અને તમારા પગની ઘૂંટીઓ હિપ્સની નજીક લાવો. આ દરમિયાન તમારા હાથ શરીરની નજીક રાખો અને ધીમે-ધીમે તમારા હિપ્સને ઉંચા કરો. થોડીક સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા ફરો.

નૌકાસન: રોજ નૌકાસનનો અભ્યાસ કરવાથી કમર અને સાથળની ચરબી ઓછી થાય છે. નૌકાસન પેટ, પીઠ અને પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરનું સંતુલન અને સ્થિરતા સુધારે છે. આ કરવા માટે પીઠ પર સૂઈ જાઓ અને ધીમે ધીમે તમારા પગ અને શરીરના ઉપરના ભાગને ઉંચા કરો. જેથી તમારું શરીર હોડીના આકારમાં દેખાય. આ દરમિયાન તમારા હાથને તમારા પગ તરફ સીધા રાખો. થોડીક સેકન્ડ માટે નૌકાસન સ્થિતિમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા ફરો. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)