
જો તમારી કારની બારીઓ ખુલ્લી હોય, તો હવા સીધી કારમાં પ્રવેશ કરશે. જેના કારણે કારની ગતિ જાળવી રાખવા માટે વધુ ઈંધણની જરૂર પડી શકે છે. સાથેજ એન્જિન પર વધુ ભાર આવે છે. આનાથી કારની માઇલેજમાં ઘટાડો થઈ શકે છે.

જ્યારે પણ કોઈ કાર ડિઝાઇન કરવામાં આવે છે, ત્યારે કંપનીઓ તેને એરોડાયનેમિક્સને (Aerodynamics) ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરે છે. જો કે, બારીઓ ખોલવાથી કારની એરોડાયનેમિક્સમાં ઘટાડો થાય છે, જે તેના માઇલેજ પર સીધી અસર કરે છે.

હાઇવે પર કારની સ્પીડ વધુ હોય છે. તેથી બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી ધૂળ અને જંતુઓ કારની અંદર પ્રવેશે છે. વધુમાં, ધૂળ તમારી કારના આંતરિક ભાગને નુકસાન પહોંચાડી શકે છે.

કારના માઇલેજ પર પ્રતિકૂળ અસર ન થાય તે માટે હાઇવે પર વાહન ચલાવતી વખતે તમારી બારીઓ ખોલવાનું ટાળો.

જ્યારે કારની બારીઓ બંધ રહે છે ત્યારે હવાનો પ્રવાહ નિયંત્રિત રહે છે અને કાર વધુ સારી માઈલેજ આપી શકે છે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published On - 11:25 am, Wed, 24 June 26