કેટલા રૂપિયામાં તૈયાર થાય છે 500ની નોટ? જાણો આ ‘ખજાનો’ ભારતનાં કયા ગુપ્ત શહેરમાં છપાય છે?

જે 500ની નોટ પાછળ આખી દુનિયા પાગલ છે, તેની અસલી પ્રોડક્શન કોસ્ટ (છાપકામ ખર્ચ) જાણીને તમારા હોશ ઉડી જશે! શું તમે જાણો છો કે તમારી નોટ કયા શહેરમાં છપાઈ છે?

| Updated on: Apr 24, 2026 | 2:38 PM
1 / 5
તમે જે 500 રૂપિયાની નોટ માટે આખો દિવસ પરસેવો પાડો છો, તેને તૈયાર કરવાનો ખર્ચ જાણીને તમને આંચકો લાગશે. રિઝર્વ બેંકના સત્તાવાર ડેટા મુજબ, એક 500ની નોટ છાપવા માટે સરકારને માત્ર ₹2.29 નો જ ખર્ચ થાય છે. એટલે કે, નોટની કિંમત કરતા તેનું ઉત્પાદન સેંકડો ગણું સસ્તું છે!

તમે જે 500 રૂપિયાની નોટ માટે આખો દિવસ પરસેવો પાડો છો, તેને તૈયાર કરવાનો ખર્ચ જાણીને તમને આંચકો લાગશે. રિઝર્વ બેંકના સત્તાવાર ડેટા મુજબ, એક 500ની નોટ છાપવા માટે સરકારને માત્ર ₹2.29 નો જ ખર્ચ થાય છે. એટલે કે, નોટની કિંમત કરતા તેનું ઉત્પાદન સેંકડો ગણું સસ્તું છે!

2 / 5
આટલી ઓછી કિંમતે છપાતી હોવા છતાં, આ નોટને નકલ કરવી અશક્ય છે. તેને ખાસ 'સિક્યુરિટી પેપર' અને વિશિષ્ટ શાહીથી બનાવવામાં આવે છે. ડિઝાઈનથી લઈને બજારમાં આવવા સુધી, દરેક નોટ હાઈ-ટેક સુરક્ષા ફીચર્સના અનેક સ્તરોમાંથી પસાર થાય છે.

આટલી ઓછી કિંમતે છપાતી હોવા છતાં, આ નોટને નકલ કરવી અશક્ય છે. તેને ખાસ 'સિક્યુરિટી પેપર' અને વિશિષ્ટ શાહીથી બનાવવામાં આવે છે. ડિઝાઈનથી લઈને બજારમાં આવવા સુધી, દરેક નોટ હાઈ-ટેક સુરક્ષા ફીચર્સના અનેક સ્તરોમાંથી પસાર થાય છે.

3 / 5
ભારતમાં આ 'ખજાનો' ક્યાં છપાય છે તે પણ એક મોટું રહસ્ય છે. દેશમાં માત્ર 4 સ્થળોએ આ કામ થાય છે: મહારાષ્ટ્રના નાસિક, મધ્યપ્રદેશના દેવાસ, કર્ણાટકના મૈસુર અને પશ્ચિમ બંગાળના સાલબોની. અહીંની સુરક્ષા એવી હોય છે કે ચકલુ પણ ફરકી શકતુ નથી.

ભારતમાં આ 'ખજાનો' ક્યાં છપાય છે તે પણ એક મોટું રહસ્ય છે. દેશમાં માત્ર 4 સ્થળોએ આ કામ થાય છે: મહારાષ્ટ્રના નાસિક, મધ્યપ્રદેશના દેવાસ, કર્ણાટકના મૈસુર અને પશ્ચિમ બંગાળના સાલબોની. અહીંની સુરક્ષા એવી હોય છે કે ચકલુ પણ ફરકી શકતુ નથી.

4 / 5
નોટ છાપવી એ રમત વાત નથી. આ માટે માત્ર RBI પાસે સર્વોચ્ચ અધિકાર છે. કેટલી નોટો છાપવી, કઈ ડિઝાઈન રાખવી અને કઈ સિક્યુરિટી લાઈન મૂકવી તે બધું જ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ખૂબ જ ગુપ્ત રીતે નક્કી કરવામાં આવે છે.

નોટ છાપવી એ રમત વાત નથી. આ માટે માત્ર RBI પાસે સર્વોચ્ચ અધિકાર છે. કેટલી નોટો છાપવી, કઈ ડિઝાઈન રાખવી અને કઈ સિક્યુરિટી લાઈન મૂકવી તે બધું જ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ખૂબ જ ગુપ્ત રીતે નક્કી કરવામાં આવે છે.

5 / 5
જ્યારે નોટો ફાટી જાય કે ગંદી થઈ જાય, ત્યારે તેનું શું થાય છે? RBI ની 'ક્લીન નોટ પોલિસી' હેઠળ આવી નોટોને પાછી ખેંચીને મશીનો દ્વારા નાશ કરી દેવામાં આવે છે અને તેની જગ્યાએ નવી કરકરી નોટો માર્કેટમાં ઉતારવામાં આવે છે.

જ્યારે નોટો ફાટી જાય કે ગંદી થઈ જાય, ત્યારે તેનું શું થાય છે? RBI ની 'ક્લીન નોટ પોલિસી' હેઠળ આવી નોટોને પાછી ખેંચીને મશીનો દ્વારા નાશ કરી દેવામાં આવે છે અને તેની જગ્યાએ નવી કરકરી નોટો માર્કેટમાં ઉતારવામાં આવે છે.

Published On - 2:38 pm, Fri, 24 April 26

Follow Us