
એકમ બીજ અને ત્રીજના દિવસે ભગવાનના વિશેષ વાઘા અને પાઘ બનીને તૈયાર થઈ ગયા છે. રજવાડી અને ગુજરાતી અને 3 છોગા વાળી પાઘ સાથે જગન્નાથ દર્શન આપશે . અમાસના દિવસે મોરપીંછ કલરના ડાયમંડ વાળા વાઘા રેશમ વર્ક થી તૈયાર કરાયેલા વાઘા તૈયાર કરવામાં આવ્યા અમાસના દિવસે એક છોગાની પાઘ ભગવાનને ધારણ કરવામાં આવશે

એકમના દિવસે રાણી કલરના વેલ્વેટ ના કસબ વર્કના વાઘા સોનાવે સ્વરૂપે ક્રોસ છોગા વાડી પાઘમાં દર્શન આપશે. બીજના દિવસે ગજી સિલ્કમાં તૈયાર કરવામાં આવેલ હેન્ડ વર્ક અને મશીન વર્ક થી તૈયાર કરાયેલા મોરની ડિઝાઇનના વાઘા મંગળા આરતી સમયે ધારણ કરાવાશે આ ઉપરાંત ડાયમંડના મુગટ હેન્ડ વર્ક થી તૈયાર કરવામાં આવેલા મુગટ ધારણ કરવામાં આવશે

રથયાત્રા સમયે લાલ રંગના વાઘા મખમલના મોરની ડિઝાઇનના રેશમ વર્કના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે નગરયાત્રા દરમિયાન ભગવાન છોગાવાળી પાઘમાં અલૌકિક દર્શન આપશે. નગરયાત્રા કર્યા બાદ ત્રીજના દિવસે ભગવાન પીદા પીતાંબરમાં વસ્ત્રો ધારણ કરશે જેમાં પેચ વર્ક અને રેશમ વર્ક કરવામાં આવ્યા છે આ દિવસે ચાર છોગા વાળી પાઘ ભગવાનને અર્પણ કરાશે