રાજકોટને મળશે આઈકોનિક સિગ્નેચર બ્રિજનું નવુ નજરાણુ- જુઓ તસવીરો

રાજકોટની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટને નવુ નજરાણુ મળવા જઈ રહ્યુ છે. રાજકોટ મહાનગરપાલિકાએ કટારિયા ચોકડીથી કાલાવડ રોડ સુધીનો નવો સિગ્નેચર બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવાયુ છે.

| Edited By: | Updated on: Oct 11, 2024 | 6:47 PM
4 / 8
કાલાવડ રોડથી કટારિયા ચોકડી પાસે આ બ્રિજ બનશે. આ ઉપરાંત વેસ્ટઝોનમાં 8 અલગ અલગ બ્રિજ તૈયાર કરાશે.

કાલાવડ રોડથી કટારિયા ચોકડી પાસે આ બ્રિજ બનશે. આ ઉપરાંત વેસ્ટઝોનમાં 8 અલગ અલગ બ્રિજ તૈયાર કરાશે.

5 / 8
નવા 150 ફુટ રિંગરોડ પર 3 બ્રિજ બનશે. રૈયા ગામથી સ્માર્ટ સિટી જવાના રસ્તે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નજીક એક બ્રિજ તૈયાર કરાશે.

નવા 150 ફુટ રિંગરોડ પર 3 બ્રિજ બનશે. રૈયા ગામથી સ્માર્ટ સિટી જવાના રસ્તે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નજીક એક બ્રિજ તૈયાર કરાશે.

6 / 8
રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર શહેરીજનોને ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આ સિગ્નેચર બ્રિજ બનવાથી શહેરીજનોના માથાના દુખાવા સમાન આ ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર શહેરીજનોને ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આ સિગ્નેચર બ્રિજ બનવાથી શહેરીજનોના માથાના દુખાવા સમાન આ ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

7 / 8
150 ફુટ નવા રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ત્રણ અલગ અલગ બ્રિજ તેનુ નિર્માણ હાથ ધરાશે. કૂલ 9 જેટલા નવા બ્રિજ રાજકોટમાં નિર્માણ થશે.

150 ફુટ નવા રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ત્રણ અલગ અલગ બ્રિજ તેનુ નિર્માણ હાથ ધરાશે. કૂલ 9 જેટલા નવા બ્રિજ રાજકોટમાં નિર્માણ થશે.

8 / 8
હાલ ટ્રાફિકની સમસ્યા રાજકોટના પ્રાણ પ્રશ્ન સમાન બની ગઈ છે ત્યારે તેને નિવારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

હાલ ટ્રાફિકની સમસ્યા રાજકોટના પ્રાણ પ્રશ્ન સમાન બની ગઈ છે ત્યારે તેને નિવારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Published On - 6:46 pm, Fri, 11 October 24