
ભારતીય રેલવેના નિયમો અનુસાર, કોઈપણ મુસાફરને આવી વસ્તુઓ સાથે રાખીને મુસાફરી કરવાની પરવાનગી નથી. રેલવે 'પ્રતિબંધિત વસ્તુઓ' અંગે ખૂબ જ કડક છે. બીજું કે, પરિણામે સુરક્ષા દળો (Security Forces) સમયાંતરે ટ્રેનમાં અચાનક નિરીક્ષણ કરવા આવે છે.

ખાસ કરીને દિવાળી અને નવા વર્ષ દરમિયાન, રેલવે સુરક્ષા વિભાગ કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે આ નિયમોનો કડક અમલ કરે છે. આ વચ્ચે જો કોઈ મુસાફર નિરીક્ષણ દરમિયાન ફટાકડા કે રોકેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળી આવે છે, તો કાયદા હેઠળ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

રેલવે કાયદાની કલમ 164 હેઠળ, મુસાફરને ₹1,000 દંડ, 3 વર્ષની જેલ અથવા તો બંને થઈ શકે છે. વાત એમ છે કે, ફટાકડા પ્રતિબંધિત વસ્તુ છે, તેથી ટ્રેનમાં ફટાકડા લઈ જતા મુસાફરો સજાને પાત્ર છે. આટલું જ નહીં, જો મુસાફર આ વસ્તુઓ સાથે મુસાફરી કરે છે અને કોઈ નુકસાન કે ઈજા થાય છે, તો મુસાફરને જવાબદાર ઠેરવવામાં આવી શકે છે.
Published On - 5:24 pm, Mon, 13 October 25