
રાહુના ગોચરથી કુંભ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ મળી શકે છે. તેમને નવા લોકો સાથે સંબંધ બાંધવાની અને જોડાવાની તક મળશે. લાંબી મુસાફરી કરવાની સંભાવના રહેશે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓને આ સમયગાળામાં વિશેષ ફાયદો થઈ શકે છે અને નવા ભાગીદારો સાથે મળીને નફાની તકો મળશે. પ્રેમજીવનમાં નજીકપણું અને રોમાંસ વધશે. સર્જનાત્મક ક્ષેત્રે કાર્યરત લોકો પોતાની પ્રતિભાથી સફળતા પ્રાપ્ત કરશે. સપ્ટેમ્બરનો મહિનો કુંભ રાશિના જાતકો માટે ઉત્તમ સાબિત થઈ શકે છે.

રાહુનો ગોચર તુલા રાશિના જાતકો માટે ખાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમના વ્યક્તિત્વમાં સકારાત્મક બદલાવ આવશે અને આત્મવિશ્વાસ સાથે આત્મબળ પણ વધશે. જુના સાથીદારોથી વ્યવસાયમાં સહકાર મળી શકે છે અને આવકમાં વધારો થવાની શક્યતા રહેશે. નોકરી કરતા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે, સફળતા તરફ નવા માર્ગ ખુલશે. ઉપરાંત મોટી મુશ્કેલીઓ ઉકેલવામાં પણ જાતકોને સફળતા મળી શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )