TMC નેતા શાહજહાં શેખના અત્યાચારો સામે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન, મહિલા મોરચાએ બેનર સાથે કર્યા દેખાવો- જુઓ Photos

ભરૂચ જિલ્લા ભાજપ અને મહિલા મોરચાએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના વિરોધમા બેનર સાથે દેખાવો કર્યા. શાહજહાંએ મહિલાઓ સાથે કરેલા અત્યાચારોને વખોડતા મમતા બેનર્જીના રાજીનામાની માગ કરી હતી.

| Edited By: | Updated on: Mar 01, 2024 | 7:04 PM
4 / 6
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, મહિલા મોરચા અગ્રણી દક્ષાબેન પટેલ, પ્રફુલ્લાબેન દુધવાલા, ધર્મેશ મિસ્ત્રી, પ્રકાશ પટેલ સહિતે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય બહાર પ્લે કાર્ડ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, મહિલા મોરચા અગ્રણી દક્ષાબેન પટેલ, પ્રફુલ્લાબેન દુધવાલા, ધર્મેશ મિસ્ત્રી, પ્રકાશ પટેલ સહિતે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય બહાર પ્લે કાર્ડ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા.

5 / 6
TMC નેતા શાહજહાં શેખનું અનાજ કૌભાંડ બહાર આવ્યા બાદ ED ની કાર્યવાહી છતાં મમતા બેનર્જીની સરકાર તેમના નેતાને છાવરી ધરપકડ કરી ન હતી. મહિલાઓ અમાનુષી અત્યાચાર અને આ નેતાના શોષણને લઈ પોલીસ મથક અને રસ્તાઓ પર ઉતરી આવ્યા બાદ આ નેતાની ધરપકડ કરાઈ હતી. તેમ છતાં મમતા દીદી તેના નેતાને છાવરી રહી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.

TMC નેતા શાહજહાં શેખનું અનાજ કૌભાંડ બહાર આવ્યા બાદ ED ની કાર્યવાહી છતાં મમતા બેનર્જીની સરકાર તેમના નેતાને છાવરી ધરપકડ કરી ન હતી. મહિલાઓ અમાનુષી અત્યાચાર અને આ નેતાના શોષણને લઈ પોલીસ મથક અને રસ્તાઓ પર ઉતરી આવ્યા બાદ આ નેતાની ધરપકડ કરાઈ હતી. તેમ છતાં મમતા દીદી તેના નેતાને છાવરી રહી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.

6 / 6
ભરૂચ જિલ્લા ભાજપે જો એક મહિલા  CM મમતા દીદીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તો તેઓ પદને હકદાર નહિ હોવાનો સુર વ્યક્ત કર્યો. સાથે જ એક મહિલા મુખ્યમંત્રી તરીકે મહિલાઓને રક્ષણ આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા હોય ખુરશી છોડી દે ની આક્રોશ સાથે ભરૂચ જિલ્લા ભાજપે માંગ કરી સુત્રોચ્ચારો પણ કર્યા હતા.

ભરૂચ જિલ્લા ભાજપે જો એક મહિલા CM મમતા દીદીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તો તેઓ પદને હકદાર નહિ હોવાનો સુર વ્યક્ત કર્યો. સાથે જ એક મહિલા મુખ્યમંત્રી તરીકે મહિલાઓને રક્ષણ આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા હોય ખુરશી છોડી દે ની આક્રોશ સાથે ભરૂચ જિલ્લા ભાજપે માંગ કરી સુત્રોચ્ચારો પણ કર્યા હતા.