
ભારતના જાણીતા યુવા ક્રિકેટરો આ દિવસોમાં તેમના જીવનના નવા તબક્કાઓ શરૂ કરી રહ્યા છે. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે તાજેતરમાં લગ્ન કર્યા છે. તેના ત્રણ દિવસ બાદ, અર્જુનના નજીકના મિત્ર અને સ્ટાર ક્રિકેટર પૃથ્વી શોએ સગાઈ કર્યાની જાહેરાત કરી છે.

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર પૃથ્વી શોએ, તેની ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી છે. શોએ સોશિયલ મીડિયા પર સગાઈનો ફોટો પોસ્ટ કરીને આકૃતિ સાથે સગાઈ કર્યાની જાહેરાત કરી છે.

પૃથ્વી શોએ એક ફોટો એવો શેર કર્યો છે કે જેમાં તે ઘૂંટણિયે પડીને આકૃતિને સગાઈની વીંટી પહેરાવતો હોય. શોએ લખ્યું, "મેદાન પર છગ્ગા મારવાથી લઈને બહાર જીવનભર હિટ સુધી. આ મારી પરફેક્ટ ઇનિંગ છે.

પૃથ્વી શોએ સગાઈના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે અને આકૃતિ એકબીજાને વીંટીઓ પહેરાવી રહ્યા છે અને તેમની વીંટીઓ પણ બતાવી રહ્યા છે.

પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલ લગભગ બે વર્ષથી રિલેશનશિપમાં છે. આકૃતિ એક અભિનેત્રી છે. અગાઉ, પૃથ્વી શો મોડેલ નિધિ તાપડિયા સાથે થોડા વર્ષોથી રિલેશનશિપમાં હતો.
Published On - 5:52 pm, Sun, 8 March 26